Saturday, December 28, 2019

શ્રી હનુમાન ચાલીસા અર્થ સહિત્

શ્રી ગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ । બરનઉ રઘુબર બિમલ જસુ જો દાયક ફલ ચારી ।।

શ્રી ગુરુદેવના ચરણ રજથી મારૂ મન પવિત્ર કરી હવે હું  શ્રી ભગવાન રામના યશનું વર્ણન કરૂં છું. જે (ધર્મ, અર્થે કામ અને મોક્ષ) ચારે પ્રકારનાં ફળ આપનાર છે.

 

બુદ્ધિહિન તનુ જાનિકે સુમિરો પવન કુમાર । બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ, હરહુ ક્લેસ બિકાર ।।

હું મારી જાતને બુદ્ધિહિન ગણીને શ્રી હનુમાનજી આપનું સ્મરણ કરું છું. હે પ્રભુ આપ મને બુદ્ધિ, બળ તથા વિદ્યા આપો અને મારા વિકારોનો નાશ કરો.

 

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહું લોક ઉજાગર ।

જ્ઞાન અને ગુણોનાં સાગર શ્રી હનુમાનજી આપનો જય જયકાર હો ! ત્રણેય લોકમાં કીર્તિમાન મારૂતિ, આપનો જય હો !

 

રામદૂત અતુલિત બલધામા, અંજનિપુત્ર પવનસુત નામા ।।

શ્રી રામજીના દૂત આપમાં અનંત શક્તિ છે આપનું અંજનિપુત્ર અને પવનપુત્ર નામજગ પ્રસિદ્ધ છે.

 

મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી ।

આપ મહાવીર તથા મહાપરાક્રમી છો. આપનું શરીર વજ્ર સમાન છે. આપ કુબુદ્ધિનો નાશ કરનારા છો, અને સુબુદ્ધિના સહાયક છો.

 

કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસા ।।

હે કપિ શ્રેષ્ઠ, આપના દેહનો વર્ણ કંચન જેવો છે. કાનમાં કુંડળ છે અને મસ્તક પર વાકડીયા વાળ છે. આપનું આ સ્વરૂપ અતિ સોહમણું છે.

 

હાથ વજ્ર ઔર ધ્વજા બિરાજૈ, કાંધે મુંજ જનેઉ સાજે ।

આપના હાથમાં ગદા અને ધ્વજા છે ખભા પર જનોઇ શોભાયમાન છે.

 

શંકર સુવન કેસરીનંદન, તેજ પ્રતાપ મહા જગ વંદન ।।

કેસરીનંદન આપ શંકરના અવતાર છો, આપનું મહાપ્રતાપી અને તેજસ્વી સ્વરૂપ સમગ્ર વિશ્વમાં પૂજનીય છે.

 

વિદ્યાવાન ગુની અતિ ચાતુર, રામકાજ કરિબે કો આતુર ।

હે કપિ શ્રેષ્ઠ આપ વિદ્યાવાન ગુણવાન અને ચતુર છો, સદા રામ ભગવાનનું કાર્ય કરવા આતુર રહો છો,

 

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા ।।

પ્રભુ રામજીનું ચરિત્ર સાંભળવામાં આપને ઘણી આસક્તિ છે. શ્રીરામ, શ્રી લક્ષ્મણ અને સીતામૈયા આપના હ્રદયમાં કાયમ નિવાસ કરે છે.

 

સૂક્ષ્મરૂપ ધરિ સિયહિં દિખાવા, બિકટ રૂપ ધરી લંકા જરાવા ।

સીતામૈયાને સુક્ષ્મરૂપ ધારણ કરી બતાવ્યું અને વિકરાળ રૂપ ધરી લંકાને બાળ હતી.

 

ભીમરૂપ ધરિ અસુર સંહારે, શ્રી રામચંદ્ર કે કાજ સંહારે ।।

મહાભંયકર રૂપ ધારણ કરી રાક્ષસોનો સંહાર કર્યો અને શ્રીરામજીના સર્વ કાર્ય સિદ્ધ કરવામાં સહયોગ આપ્યો હતો.

 

લાય સંજીવન લખન જિયાયે, શ્રી રઘુવિર હરષિ ઉર લાયે ।

સંજીવની બુટ્ટી લાવી શ્રી લક્ષ્મણજીને જીવત્દાન આપ્યું તેથી અતિ હર્ષિત થઇ પ્રેમથી શ્રીરામજીએ આપને છાતીએ લગાવ્યા હતા.

 

રઘુપતિ કીન્હી બહુત બડાઇ, તુમ મમ પ્રિય ભરત હિ સમ ભાઇ ।।

ભગવાન શ્રીરામે આપની ઘણી પ્રશંસા કરીને કહ્યું કે, ભરત જેટલો જ તું મારો પ્રિય ભાઇ છે

 

સહસ્ત્ર બદન તુમ્હરો જશ ગાવૈ, અસ કહી શ્રીપતિ કંઠ લગાવે ।

સહસ્ત્ર મુખવાળા શેષનાગ આપના યશગાન ગાય છે એમ કહેતા પ્રેમથી ભગવાન શ્રીરામે આપને ગળે લગાડ્યા

 

સનકાદિક બ્રહ્માદિ મુનીસા, નારદ શારદ સહિત અહીસા ।।

સનકાદિક ઋષિ, બ્રહ્મા, નારદ, સરસ્વતી શેષનાગ આપની કીર્તિનું યોગ્ય વર્ણન કરી શકતા નથી.

 

જમ કુબેર દિગપાલ જહાં તે, કબિ કોબિદ કહિ સકે કહાં તે ।

યમરાજ, કુબેર, દિગપાલ જેવાં દેવતા પણ આપનો મહિમા પૂર્ણરૂપે વર્ણન કરી શકતા નથી તો પૃથ્વી પરના કવિ અને વિદ્વાનો કઇ રીતે કહી શકે ?

 

તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા, રામ મિલાય રાજ પદ દીન્હા ।।

આપે સુગ્રીવજીને સહાય કરી ભગવાન શ્રીરામ સાથે તેમનો મેળાપ કરાવ્યો અને એમને રાજા બનાવ્યા

 

તુમ્હારો મંત્ર બિભીષણ માના, લંકેશ્વર ભએ સબ જગ જાના ।

આપનો મંત્ર વિભીષણે સ્વીકાર્યો અને તે લંકાનો રાજા થયો, આ વાત સમસ્ત વિશ્વ જાણે છે

 

જુગ સહસ્ત્ર જોજન પર ભાનુ, લીલ્યો તાહિ મધુર ફલ જાનુ ।।

ઘટાથી હજારો જોજન દૂર સૂર્યનું મધુર ફળ માનીને આપ ગળી ગયા હતા

 

પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહિ, જલધિ લાંધી ગયે અચરજ નાહિં ।

શ્રીરામની વીંટી મોઢામાં રાખી આપ વિશાળ સમુદ્રને પાર કરી ગયા એમાં કાંઇ ખાસ આશ્ચર્ય નથી

 

દુર્ગમ કાજ જગત કે જે તે, સુગમ અનુગ્રહ તુમ્હરે તે તે ।।

હે કેસરી નંદન સંસારમાં જે કઠિન કાર્ય છે તે આપની કૃપાથી સરળ બની જાય છે.

 

રામ દુઆરે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિનુ પૈસારે ।

આપ શ્રીરામના દ્વારપાળ છો, આપની આજ્ઞા વિના કોઇ અંદર પ્રવેશ કરી શકતો નથી.

 

સબ સુખ લહૈ તુમ્હારી સરના, તુમ રક્ષક કાહુ કો ડરના ।।

આપની શરણ જે કોઇ આવે છે એ બધા આનંદ સુખ પ્રાપ્ત કરે છે. તમે અમારા રક્ષક છો તેથી અમને કોઇ જ ડર નથી

 

આપન તેજ સમ્હારો આપૈ, તીનોં લોક હાંક તે કાંપૈ ।

હે અંજની પુત્ર ! આપ જ આપનું તેજ સહન કરી શકો છો. આપના હુંકારથી ત્રણેય લોક કાંપવા લાગે છે.

 

ભૂત પિસાચ નિકટ નહીં આવૈ, મહાબીર જબ નામ સુનાવૈ ।।

ભક્તજન જ્યારે આપના નામનું રટન કરે છે, ત્યારે ભૂત - પ્રેત એમની પાસે આવતા નથી.

 

નાસૈ રોગ હરૈ સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા ।

હે કેશરી નંદન ! આપનું નામ સતત જપનારના બધા રોગો દૂર થઇ જાય છે અને તેની બધી પીડા દૂર થઇ જાય છે.

 

સંકટ તે હનુમાન છુડાવૈ, મન કર્મ બચન ધ્યાન જો લાવે ।।

હે અંજની પુત્ર ! જે ભક્ત મન, વાણી અને કર્મથી આપનું એક ચિત્તે ધ્યાન કરે છે, એને આપ બધી વિપત્તિથી બચાવો છો.

 

સબ પર રામ તપસ્વી રાજા, તિન કે કાજ સકલ તુમ સાજા ।

સર્વોપરી રાજા શ્રીરામ એક શ્રેષ્ઠ તપસ્વી રાજા છે, તેમના કાર્ય સફળ કરવામાં આપે ઘણું યોગદાન આપ્યું છે.

 

ઔર મનોરથ જો કોઇ લાવૈ, સોઇ અમિત જીવન ફલ પાવૈ ।

હે કેશરી નંદન ! આપની સમક્ષ મનોરથ લઇને જે કોઇ વ્યક્તિ આવે છે તેના આ જીવનમાં બધા જ મનોરથ પૂર્ણ થાય છે.

 

ચારોં જુગ પરતાપ તુમ્હારા, હૈ પરસિદ્ધિ જગત ઉજિયારા ।

આપનો પ્રતાપ ચારે યુગમાં પ્રસિદ્ધ છે. વિશ્વમાં આપની કીર્તિ, યશ પ્રકાશમાન છે.

 

સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે ।।

સાધુ, સંતના આપ રક્ષક છો, આપ રાક્ષસોના સંહાર કરનાર છો અને આપ શ્રીરામને અતિ પ્રિય છો

 

અષ્ટ સિધ્ધ નવ નિધિ કે દાતા, અસ વર દીન જાનકી માતા ।

સીતામૈયાયે આપને વરદાન આપ્યું છે કે આપ અષ્ટસિધ્ધિ અને નવનિધિ ચાહો એને પ્રદાન કરી શકો.

 

રામ રસાયન તુમ્હારે પાસા, સદા રહો રઘુપતિ તે દાસા ।।

હે બજરંગબલી ! “શ્રીરામ” નામરૂપી રસાયણ આપની પાસે છે. આપ સદાય શ્રીરામની સેવામાં તત્પર રહો છો.

 

તુમ્હારે ભજન રામકો પાવૈ, જનમ જનમકે દુઃખ બિસરાવૈ ।

આપનું ભજન કરનારને શ્રીરામનું દર્શન થાય છે. અને તેના જન્મ જન્માંતરના દુઃખો કાયમ માટે નષ્ટ થઇ જાય છે.

 

અંતકાલ રઘુબર પુર જાઇ, જહાં જનમ હરિભક્ત કહાઇ ।।

તે અંતકાળે સાકેત ધામમાં જાય છે. કદાચ મૃત્યુલોકમાં જન્મે તો તેને શ્રીહરિના ભક્ત તરીકે પ્રસિદ્ધિ મળે છે.

 

ઔર દેવતા ચિત્ત ન ધરઇ, હનુમંત સેઇ સર્વ સુખ કરઇ ।

જે ભક્ત અન્ય દેવતાઓનું હ્રદયમાં સ્થાન ન રાખી શ્રી હનુમાનજી સેવા કરે તો તે સર્વ સુખ સંપન્ન થાય છે.

 

સંકટ કટે મિટૈ સબ પિરા, જો સુમિરૈ હનુમંત બલબીરા ।।

અતિ બળવાન વીર બજરંગબલીનું જે સ્મરણ કરે છે તેના બધા સંકટો દૂર થાય છે.

 

જૈ જૈ જૈ હનુમાન ગૌસાંઇ, કૃપા કરહુ ગુરૂ દેવકી નાઇ ।

શ્રી હનુમાનજી આપનો જય જયકાર હો, આપ મારા પરમ કૃપાળુ ગુરૂદેવની જેમ કૃપા કરો.

 

જો સતબાર પાઠ કર કોઇ, છુટહી બંદિ મહા સુખ હોઇ ।।

જે કોઇ વ્યક્તિ હનુમાન ચાલીસા નો સો વખત પાઠ કરશે તે સર્વ બંધનમાંથી મુક્તિ પામશે અને પરમ સુખને પામશે.

 

જો યહ પઢૈ હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા ।

જે ભક્ત “હનુમાન ચાલીસા”નો નિત્ય પાઠ કરશે તેને ચોક્કસ સફળતા મળશે. આના સાક્ષાત્‌ ભગવાન શંકર સાક્ષી છે.

 

તુલસીદાસ સદા હરિ ચેરા, કીજૈ નાથ હ્રદય મહં ડેરા ।।

સંતશ્રી તુલસીદાસજી કહે છે કે, “સદા સર્વદા હું શ્રી હનુમાનજીનો સેવક છું હે નાથ આપ મારા હ્રદયમાં નિત્ય બિરાજો”

 

।। દોહા ।।

પવન તનય સંકટ હરન, મંગલ મૂર્તિ રૂપ । રામ લખન સીતા સહિત, હ્રદય બસહુ સૂર ભૂપ ।।

હે પવન પુત્ર હનુમાનજી, સર્વ સંકટોનો નાશ કરનારા, આપ મંગલમૂર્તિ રૂપ છો. આપ શ્રીરામ, લક્ષ્મણ અને સીતા મૈયા સહિત અમારા હ્રદયમાં નિત્ય બિરાજો.

Thursday, December 19, 2019

भगत_के_वश_में_हैं_भगवान

एक पंडित था, वो रोज घर घर जाके भगवत गीता का पाठ करता था | एक दिन उसे एक चोर ने पकड़ लिया और उसे कहा तेरे पास जो कुछ भी है मुझे दे दो, तब वो पंडित जी बोला की बेटा मेरे पास कुछ भी नहीं है,तुम एक काम करना मैं यहीं पड़ोस के घर मैं जाके भगवत गीता का पाठ करता हूँ,वो यजमान बहुत दानी लोग हैं, जब मैं कथा सुना रहा होऊंगा तुम उनके घर में जाके चोरी कर लेना!
चोर मान गया अगले दिन जब पंडित जी कथा सुना रहे थे तब वो चोर भी वहां आ गया तब पंडित जी बोले की यहाँ से मीलों दूर एक गाँव है वृन्दावन, वहां पे एक लड़का आता है जिसका नाम कान्हा है, वो हीरों जवाहरातों से लदा रहता है, अगर कोई लूटना चाहता है तो उसको लूटो वो रोज रात को इस पीपल के पेड़ के नीचे आता है, जिसके आस पास बहुत सी झाडिया हैं चोर ने ये सुना और ख़ुशी ख़ुशी वहां से चला गया! वो चोर अपने घर गया और अपनी बीवी से बोला आज मैं एक कान्हा नाम के बच्चे को लुटने जा रहा हूँ, मुझे रास्ते में खाने के लिए कुछ बांध कर दे दो, पत्नी ने कुछ सत्तू उसको दे दिया और कहा की बस यही है जो कुछ भी है,
चोर वहां से ये संकल्प लेके चला कि अब तो में उस कान्हा को लुट के ही आऊंगा, वो बेचारा पैदल ही पैदल टूटे चप्पल में ही वहां से चल पड़ा, रास्ते में बस कान्हा का नाम लेते हुए, वो अगले दिन शाम को वहां पहुंचा जो जगह उसे पंडित जी ने बताई थी!
अब वहां पहुँच के उसने सोचा कि अगर में यहीं सामने खड़ा हो गया तो बच्चा मुझे देख कर भाग जायेगा तो मेरा यहाँ आना बेकार हो जायेगा, इसलिए उसने सोचा क्यूँ न पास वाली झाड़ियों में ही छुप जाऊँ, वो जैसे ही झाड़ियों में घुसा, झाड़ियों के कांटे उसे चुभने लगे!
उस समय उसके मुंह से एक ही आवाज आयी… कान्हा, कान्हा, उसका शरीर लहू लुहान हो गया पर मुंह से सिर्फ यही निकला कि कान्हा आ जाओ! कान्हा आ जाओ!
अपने भक्त की ऐसी दशा देख के कान्हा जी चल पड़े तभी रुक्मणी जी बोली कि प्रभु कहाँ जा रहे हो, वो आपको लूट लेगा!
प्रभु बोले कि कोई बात नहीं अपने ऐसे भक्तों के लिए तो मैं लुट जाना तो क्या मिट जाना भी पसंद करूँगा और ठाकुर जी बच्चे का रूप बना के आधी रात को वहां आए वो जैसे ही पेड़ के पास पहुंचे चोर एक दम से बहार आ गया और उन्हें पकड़ लिया और बोला कि ओ कान्हा तुने मुझे बहुत दुखी किया है, अब ये चाकू देख रहा है न, अब चुपचाप अपने सारे गहने मुझे दे दे…
कान्हा जी ने हँसते हुए उसे सब कुछ दे दिया! 
वो चोर हंसी ख़ुशी अगले दिन अपने गाँव में वापिस पहुंचा और सबसे पहले उसी जगह गया जहाँ पे वो पंडित जी कथा सुना रहे थे और जितने भी गहने वो चोरी करके लाया था उनका आधा उसने पंडित जी के चरणों में रख दिया!
जब पंडित ने पूछा कि ये क्या है, तब उसने कहा आपने ही मुझे उस कान्हा का पता दिया था मैं उसको लूट के आया हूँ, और ये आपका हिस्सा है , पंडित ने सुना और उसे यकीन ही नहीं हुआ!
वो बोला कि मैं इतने सालों से पंडिताई कर रहा हूँ वो मुझे आज तक नहीं मिला, तुझ जैसे पापी को कान्हा कहाँ से मिल सकता है!
चोर के बार बार कहने पर पंडित बोला कि चल में भी चलता हूँ तेरे साथ वहां पर, मुझे भी दिखा कि कान्हा कैसा दिखता है, और वो दोनों चल दिए! चोर ने पंडित जी को कहा कि आओ मेरे साथ यहाँ पे छुप जाओ, और दोनों का शरीर लहू लुहान हो गया और मुंह से बस एक ही आवाज निकली : कान्हा, कान्हा, आ जाओ!
ठीक मध्य रात्रि कान्हा जी बच्चे के रूप में फिर वहीँ आये और दोनों झाड़ियों से बहार निकल आये!
पंडित जी कि आँखों में आंसू थे वो फूट फूट के रोने लग गया, और जाके चोर के चरणों में गिर गया और बोला कि हम जिसे आज तक देखने के लिए तरसते रहे, जो आज तक लोगो को लुटता आया है, तुमने उसे ही लूट लिया तुम धन्य हो, आज तुम्हारी वजह से मुझे कान्हा के दर्शन हुए हैं, तुम धन्य हो……!!
ऐसा है हमारे कान्हा का प्यार, अपने सच्चे भक्तों के लिए,
जो उसे सच्चे दिल से पुकारते हैं, तो वो भागे भागे चले आते हैं…..!!

Friday, December 13, 2019

ओशो

छोटा सा बच्चा पैदा होता है; पहला ही काम तो करता है कि चीख कर रोता है, चिल्लाता है। धर्मगुरुओं ने इसका भी शोषण कर लिया। उन्होंने कहा, रोते हुए ही तुम पैदा होते हो। जन्म ही रुदन है, दुख है। जन्म की शुरुआत दुख से होती है।

वे बिल्कुल ही गलत बात कह रहे हैं। बच्चा दुख के कारण नहीं रोता। और बच्चे के रोने और चिल्लाने के पीछे जीवन की अभीप्सा छिपी है, दुख नहीं।

बच्चा चिल्लाता है; उसके माध्यम से उसका फेफड़ा, गला साफ होता है, और श्वास की धारा शुरू होती है।
 
चिकित्सक जानते हैं कि अगर बच्चा तीन मिनट तक न रोए-चिल्लाए नहीं तो बचाना मुश्किल है; मर जाएगा। क्योंकि अब तक तो मां की श्वास से जीता था; अब अपनी श्वास लेनी है। 

तो वह जो चीखना है, रोना है, चिल्लाना है, वह सिर्फ गले का साफ करना है। उसमें न तो कोई पीड़ा है; अगर हम बच्चे को जान सकें तो उसके भीतर छिपा अहोभाव है।

 उसने पहली स्वतंत्रता की श्वास ली। वह पहली दफा अपने लिए चिल्लाया है, आवाज दी है, पुकार दी है। वहां दुख जरा भी नहीं है। वहां पीड़ा जरा भी नहीं है। हां, तुम व्याख्या कर ले सकते हो। और धर्मगुरु उसको पकड़ लेता है कि देखो रोने से...।

तुम्हें पता होना चाहिए कि रोने का अनिवार्य संबंध दुख से नहीं है। कभी आदमी सुख में भी रोता है। कभी तो महासुख में ऐसे आंसू बहते हैं जैसे दुख में कभी भी नहीं बहे। रोने का कोई संबंध दुख से नहीं है अनिवार्य। दुख में भी आदमी रोता है; सुख में भी आदमी रोता है। 

महासुख और आनंद में भी लोगों को रोते हुए पाया गया है। आंसू तो केवल, जब भी तुम्हारे भीतर कोई चीज लबालब हो जाती है, इतनी हो जाती है कि तुम सम्हाल नहीं पाते, तभी बहते हैं। वह बच्चे की पहली पुकार है, जीवन की पुकार है। वह जीवन का पहला कदम है।

लेकिन धर्मगुरु ने उसकी भी निंदा कर दी। धर्मगुरु ने कुछ छोड़ा ही नहीं, उसने हर चीज की निंदा कर दी। जन्म से लेकर मृत्यु तक उसने हर चीज को बुरा बता दिया है।

 और तुम्हें इस बुराई से इतना आक्रांत कर दिया है, यह व्याख्या तुम्हारे मन में भी इतनी गहरी बैठ गई है। और व्याख्या के परिणाम आने शुरू हो जाते हैं।

फ्रांस में एक बहुत बड़ा चिकित्सक है जिसने एक अनूठी बात खोजी है। वह पूरी मनुष्यता को जैसे भूल ही गई व्याख्या के कारण। बच्चे पैदा होते हैं; तो हम सोचते हैं कि मां को बड़ी पीड़ा होती है, प्रसव-पीड़ा होती है।

क्योंकि सारी दुनिया में करीब-करीब, कम से कम सभ्य लोगों में तो पीड़ा होती ही है। और असभ्यों की तो हम फिक्र ही नहीं करते। आदिम जातियों में पीड़ा नहीं होती।

 बच्चा पैदा होता है; मां काम करती रहती है खेत में, बच्चा पैदा हो जाता है, टोकरी में बच्चे को रख कर वह फिर काम में लग जाती है। कोई प्रसव-पीड़ा नहीं होती। लेकिन सारी सभ्य जातियों में होती है। सभ्यता से प्रसव-पीड़ा का क्या संबंध होगा?

यह व्याख्या है, जो गहरे बैठ गई। प्रसव पीड़ा है, यह ख्याल, यह विचार गहरे बैठ गया।

फ्रांस में एक चिकित्सक ने स्त्रियों को सम्मोहित किया प्रसव के पहले और उन्हें यह धारणा दी कि प्रसव बड़ा आनंदपूर्ण है। होश में आ गईं, पर यह धारणा उसने सम्मोहन के द्वारा उनमें गहरे बिठा दी कि प्रसव बड़ा समाधिपूर्ण है; समाधिस्थ आनंद, आखिरी आनंद प्रसव में होगा।

होना भी यही चाहिए, क्योंकि बड़ी से बड़ी घटना घट रही है; एक नये जीवन का पदार्पण हो रहा है। यह दुख में कैसे होगा? 

और मां बड़े से बड़ा कृत्य कर रही है इस जगत में। कोई चित्रकार कितना ही बड़ा चित्र बना ले, कोई मूर्तिकार कितनी ही बड़ी मूर्ति गढ़ ले, कोई संगीतज्ञ कितने ही बड़े संगीत को जन्म दे दे; फिर भी एक साधारण स्त्री के सृजन का मुकाबला नहीं कर सकता। 

क्योंकि सब सृजन..संगीत का, कि मूर्ति का, कि चित्र का, कि काव्य का..मुर्दा है। एक साधारण सी स्त्री की भी सृजन की क्षमता, बड़े से बड़े चित्रकार, मूर्तिकार, स्रष्टा में नहीं है। 

एक जीवंत व्यक्ति को जन्म दे रही है। यह तो अहोभाव का क्षण होना चाहिए; यह तो बड़े उत्सव का क्षण होना चाहिए। यह दुख का कैसे हो गया? धर्मगुरु ने इतनी निंदा की है कि यह गहरे बैठ गया।

तो इस चिकित्सक ने सम्मोहित किया स्त्रियों को और फिर उनको बच्चे हुए। और वे इतनी आनंदित हुईं। दुख की तो बात ही अलग रही, प्रसव देना एक आनंद की घटना हो गई; ऐसे आनंद की घटना कि उन स्त्रियों ने कहा कि फिर दुबारा ऐसा आनंद नहीं जाना।

उसने कोई लाखों प्रयोग करवाए। और अब तो वह सम्मोहित भी नहीं करता। अब तो वह कहता है, देख लो, इतनी स्त्रियों को आनंदपूर्ण प्रसव हो रहा है! उसने चित्र प्रकाशित किए हैं, फिल्में बनाई हैं। 

उन स्त्रियों के चेहरे पर वही भाव है जो कभी बुद्ध के चेहरे पर दिखाई पड़ता है, या कभी मीरा के चेहरे पर दिखाई पड़ता है। वही नृत्य, वही आनंद। 

और कुछ भी खास घटना नहीं घट रही है, बच्चे का जन्म हो रहा है। न चीख है, न पुकार है; न रोना है, न आंसू हैं। बिल्कुल उलटी स्थिति है। और उसकी बात सारी दुनिया में प्रचारित हो रही है। रूस में तो उन्होंने हर अस्पताल में प्रयोग शुरू कर दिए। क्योंकि स्त्री के लिए अकारण कष्ट दे रहे हो। जो घटना महासुख बन सकती थी उसको हमने दुख बना दिया।

जल्दी मत करना। जहां भी तुम दुख पाओ, समझना कि कहीं कुछ भूल हो रही है। क्योंकि गहरे में तो सुख ही होगा; क्योंकि गहरे में परमात्मा है। हर घटना के पीछे छिपा है वही। 

तो ऊपर-ऊपर से निर्णय मत ले लेना; भीतर जाना। जीवन के अतिरिक्त और कोई परमात्मा नहीं है। 

और जीवन की निंदा जिसने की, उसके मंदिर के द्वार सदा के लिए बंद हो गए। फिर वह भटके काशी, काबा, कैलाश, उसके मंदिर के द्वार बंद हो गए। 

फिर वह करे सत्संग, सुने रामायण, गीता, वेद, करे पाठ, कुछ भी न होगा। जीवन पास था; वह शब्दों में खो गया। जीवन यहां था; वह वहां दूर भटकने लगा।

ताओ उपनिषद--प्रवचन--114

Wednesday, December 11, 2019

લક્ષ્મીના પગલાં

નાનકડી એવી વાર્તા છે. સાંજના સમયે, એક છોકરો ચપ્પલ ની દુકાનમાં જાય છે. ટિપિકલ ગામડામાંનો. આ નક્કી માર્કેટિંગવાળો હશે,એવોજ હતો પણ બોલવામાં સહેજ ગામડાની બોલી હતી પણ એકદમ કોન્ફિડન્ટ.
૨૨-૨૩ વર્ષ નો હશે.
દુકાણદારનું પેહલા તો ધ્યાન પગ આગળજ જાય. એના પગમાં લેદર ના બુટ હતા એપન એકદમ ચકાચક પોલિશ કરેલા...

*દુકાનદાર* - શુ મદદ કરું આપણી...?

*છોકરો* - મારી માં માટે ચપ્પલ જોઈએ છે સારી અને ટકાઉ આપજો..

*દુકાનદાર* - એ આવ્યા છે ? એમના પગનું માપ..?

છોકરાએ વોલેટ બહેર કાઢી એમાં થી ચાર ઘડી કરેલ એક કાગળ્યો કાઢ્યો. એ કાગળ્યાપર પેન થી બે પગલાં દોરયા હતા.

*દુકાનદાર*- અરે મને પગનો માપ નો નંબર આપત તોય ચાલત...!

એમજ એ છોકરો એકદમ બાંધ ફૂટે એમ બોલવા લાગ્યો *'શેનું માપ આપું સાહેબ* ..?
મારી માં એ આખી જિંદગી મા ક્યારેય ચપ્પલ પહેર્યા નથી. મારી માં શેરડી તોડવાવાળી મજૂર હતી. 
કાંટા મા ક્યાયપણ જાતી. વગર ચપ્પલની ઢોર હમાલી અને મહેનત કરી અમને શિખાવ્યું. હું ભણ્યો અને નોકરીએ લાગ્યો. આજે પહેલો પગાર મળ્યો. દિવાળીમાં ગામળે જાઉં છું. મા માટે શુ લઈ જાઉં..?  આ પ્રશ્નજ નથી આવતો.મારા કેટલા વર્ષોનું સપનું હતું કે મારા પહેલા પગારમાંથી માં માટે હું ચપ્પલ લઈશ.

દુકાનદારે સારી અને ટકવાવાળી ચપ્પલ દેખાડી અને કીધું આઠશો રૂ ની છે. છોકરાએ કીધું ચાલશે. એવી તૈયારી એ કારીનેજ આવ્યો હતો.

*દુકાનદાર* - એમજ પૂછું છું કેટલો પગાર છે તને.

*છોકરો* - હમણાં તો બાર હજાર છે રહેવાનું, ખાવાનું પકડીને  સાત-આઠ હજાર ખર્ચો થાય. બે-ત્રણ હજાર માં ને મોકલાવું છુ

*દુકાનદાર* - અરે તો આ આઠશો રૂ થોડાક વધારે થાશે

છોકરાએ દુકાનદારને અધવચ્ચેજ રોકયું અને બોલ્યો રહેવા દ્યો ચાલશે. દુકાનદારે બોક્સ પેક કર્યું છોકરાએ પૈસા આપ્યા અને બહુજ ખુશ થઈને બાર નીકળ્યો.
મોંઘું શુ એ ચપ્પલ ની કોઈ કિંમત થાય એમજ નોહતી...

પણ દુકાનદારના મનમાં શુ આવ્યું કોને ખબર. છોકરાને અવાજ આપ્યો અને થંબવાનું કીધું. દુકાનદારે અજી એક બોક્સ છોકરાના હાથમાં આપ્યો.

અને દુકાનદાર બોલ્યો 'આ ચપ્પલ માં ને કહેજે કે તારા ભાઈ તરફથી ભેટ છે'. પેહલી ચપ્પલ ખરાબ થઈ જાય તો બીજી વાપરવાની. તારી મા ને કહેજે કે હવે વગર ચપ્પલનું નહીં ફરવાનું અને આ ભેટ માટે ના પણ નથી કહેવાનું.

દુકાનદાર અને એ છોકરાના એમ બેવની આંખોમાં પાણી ભરાય ગયા. શુ નામ છે તારા માં નું.? દુકાનદારે પૂછ્યું. *લક્ષ્મી* એટલુંજ બોલ્યો.

દુકાનદાર તરતજ બોલ્યો મારા જય શ્રીકૃષ્ણ કહેજે એમને અને એક વસ્તુ આપીશ મને..? પગલાં દોરેલો પહેલો કાગળ જોહીયે છે મને...!

એ છોકરો પહેલો કાગળ દુકાનદાર ના હાથમાં દઈને ખુશ થઈ નીકળી ગયો. પહેલો ઘડીદાર કાગળ દુકાનદારે દુકાનના મંદિરમાં રાખી દીધો. દુકાનના મંદિરમાં રાખેલ એ કાગળ દુકાણદારના દીકરીએ જોયો અને પૂછ્યું, બાપુજી આ શું છે...?

દુકાનદારે એક લાંબો સ્વાસ લિધો અને દીકરી ને બોલ્યો લક્ષ્મી ના પગલાં છે બેટા. એક સચ્ચા ભક્તે દોરેલા છે. આનાથી બરકત મળે ધંધામાં.

દીકરાએ, દુકાનદારે અને બધાએ એ પગલાને ભાવભક્તિ સાથે નમન કર્યું...!

લવ યુ ઝીંદગી

લેખક
અજ્ઞાત...