Saturday, July 18, 2020

મહાભારતના ૯ સાર-સુત્રો

૧)  સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર, તમારો જો સમયસર અંકુશ નહિ હોય તો, જીવનમાં છેલ્લે તમે નિ:સહાય થઈ જશો = કૌરવો

૨)  તમે ગમે તેટલા બલવાન હો,પણ તમે અધર્મ નો સાથ આપશો તો, તમારી શક્તિ, અસ્ત્ર -શસ્ત્ર, વિધા,વરદાન, બધું જ નકામું થઈ જશે. = કર્ણ

૩)  સંતાનો ને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો,
 કે વિદ્યાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે = અષ્વત્થામા

૪). ક્યારેય  કોઈને એવાં વચન ના આપો, કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે = ભીષ્મપિતા

૫). સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ, અને દુરાચારીઓનો સથવારો, અંતે  સર્વનાશ નોતરે છે = દુર્યોધન

૬). અંધ વ્યક્તિ .. અર્થાત્ ..સ્વાર્થાંધ, વિત્તાંધ, મદાંધ, જ્ઞાનાન્ધ , મોહાન્ધ અને  કામાન્ધ વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના સોંપાવુ જોઈએ, નહીં તો તે સર્વ નાશ નોંતરશે. = ધ્રુતરાષ્ટ્ર

૭)  વિદ્યા ની સાથે વિવેક હશે તો, તમે અવશ્ય વિજયી થશો - = અર્જુન 

૮)  બધા સમયે-બધી બાબતોમાં  છળકપટથી, તમે બધે, બધી બાબતમાં, દરેક વખત સફળ નહીં થાવ = શકુનિ

૯)  જો તમે નીતી/ધર્મ/કર્મ સફળતા પુર્વક નિભાવશો તો, વિશ્વની કોઈ પણ શક્તિ,  તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે = યુધિષ્ઠિર

No comments:

Post a Comment