Wednesday, January 21, 2015

જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી જેકસન બ્રાઉનની કલમે લખાયેલી વાતો........

 * 'કેમ છો' કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.
 * શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.
 * કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.
 * બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.
 * કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.
 * મહેણું ક્યારેય ન મારો.
 * કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં, શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.
 * ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે છે, ઉધારી કરવા માટે નહીં.
 * રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખો.
 * નકારાત્મક પ્રકૃતિના માણસોને મળવાનું ટાળો.
 દરેક વ્યકિતને બીજી તક આપો,ત્રીજી નહીં.
 * સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.
 * જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.
 * જેને તમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.
 * કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.
 * ગોસિપનિંદાજુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.
 * જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.
 * લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.
 * અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.
 * ક્યારેક હારવાની પણ તૈયારી રાખો.
 * મા-બાપપતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.
 * ફોનની ઘંટડી (રિંગ) વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.
 * શબ્દો વાપરતી વખતે કાળજી રાખો.
 * બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.
 * બીજાની સિદ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.
 * ઘરડાં માણસો સાથે ખૂબ સૌજન્યથી અને ધીરજથી વર્તન કરો.
 * તમારી ઓફિસે કે ઘરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.
 * મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.
 *ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.
 * બચત કરવાની શિસ્ત પાળો.
 * ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનવાનો પ્રયત્ન કરો.યાદ રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.
 * સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમને ઉષ્માપૂર્ણ ભેટવાનું ભૂલશો નહીં.
 * અઠવાડિયે એક વખત ઉપવાસ કરો.
 * કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં.
 * ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.
 * ઘર પોસાય એટલી કિંમતનું જ લેવું.
 * સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતાં આવડવું જ જોઇએ
 જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો....!!!

No comments:

Post a Comment