Monday, December 20, 2021

ભીડ

અમારી ઓફિસ પાસે નાસ્તાની ચા પાણીની જગ્યા છે.
 અમે અવારનવાર ત્યાં જઈએ છીએ અને ત્યાં ઘણી ભીડ હોય છે.
ઘણી વખત મેં જોયું છે કે એક વ્યક્તિ આવે છે અને ભીડનો ફાયદો ઉઠાવે છે અને ખાધા પછી, પૈસા ચૂકવ્યા વિના છુપાઈને નીકળી જાય છે.

 એક દિવસ જ્યારે તે જમતો હતો ત્યારે મેં નાસ્તાના પોઈન્ટના માલિકને  જાણ કરી કે આ ભાઈ ભીડનો લાભ લઈ બિલ ચૂકવ્યા વિના જ નીકળી જશે.
 મારી વાત સાંભળીને બ્રેકફાસ્ટ પોઈન્ટનો માલિક હસવા લાગ્યો અને કહ્યું કે તેને કંઈપણ કહ્યા વગર જવા દો.. અને આ વિશે પછી વાત કરીશું.
🌹 રાબેતા મુજબ ભાઈએ નાસ્તો કર્યા પછી આજુબાજુ જોયું અને ભીડનો લાભ લઈને ચૂપચાપ ત્યાંથી સરકી ગયા.
🙏તેના ગયા પછી, મેં હવે બ્રેકફાસ્ટ પોઈન્ટના માલિકને પૂછ્યું કે મને કહો કે તમે માણસને શા માટે જવા દીધો.. તેણે આ માણસની ક્રિયાને કેમ અવગણી ???
🌹 બ્રેકફાસ્ટ પોઈન્ટના માલિકે  મને કહ્યું કે તમે એકલા નથી, ઘણા ભાઈઓએ તેની નોંધ લીધી છે અને મને તેના વિશે જણાવ્યું છે.
🌹તેણે કહ્યું કે તે દુકાનની સામે બેસે છે અને જ્યારે તેણે જોયું કે ત્યાં ભીડ છે, ત્યારે તે અંદર જઈને ખાશે.
🌹 મેં હંમેશા તેની અવગણના કરી અને તેને ક્યારેય રોક્યો નથી.. તેને ક્યારેય પકડ્યો નથી કે ક્યારેય તેનો અનાદર કરવાનો પ્રયાસ કર્યો નથી.
🙏કારણ કે મને લાગે છે કે મારી દુકાનમાં ધસારો આ ભાઈના મન ની  દુઆ ને કારણે છે....🙏🌹
👍તે મારી દુકાનની સામે બેસીને મનમાં દુઆ કરતો હશે કે જો આ દુકાનમાં ભીડ થાય તો હું ઝડપથી અંદર જઈ શકું, ખાઈ શકું અને બહાર નીકળી શકું.
અને જ્યારે તે અંદર આવે છે ત્યારે ચોક્કસ ત્યાં હંમેશા ધસારો હોય છે.🙏
હું  તેના મનની આ પ્રાર્થના અને સર્વ શક્તિમાન પાલનહાર આ પ્રાર્થના સ્વીકારની બાબતમાં વચ્ચે આવવા માંગતો નથી.🌹🙏આ હંમેશા મારા દ્વારા અવગણવામાં આવશે અને હું તેને હંમેશા આવો ખોરાક ખાવા દઈશ અને તેને પકડીને ક્યારેય તેનો અનાદર નહીં કરું!!!
🙏🙏🙏
1...કોઈ જાણતું નથી કે કોણ કોના નસીબ નું ખાય.છે .
2... અભિમાન ન રાખવું કે બધું તમારી ખુદ ની જ મહેનત કે આવડત થી છે... 
     આજુબાજુ માં નજર નાખશો ને તમારા કરતા પણ વધુ હોશિયારી અને આવડતવાળા મળશે જેની પાસે તમારા જેટલું નથી... કેમ કે તમારા પર ભગવાન ની  મહેરબાની જ છે એટલે તમે આગળ છો...
3..રોજ આભાર માનજો ભગવાનની 
 તેની ઉપર મહેરબાની  રહે.. અહીં રાતોરાત ખોવાઈ જતા વાર નથી લાગતી...
4.. પ્રાર્થના કરો કે બીજા પણ સુખી અને સમૃદ્ધ થાય... તમારું પણ  ભગવાન ધ્યાન રાખશે જ...
 🌹🙏 જીવન સૂત્ર આજ છે કે : બીજાના ભલામાં આપણું ભલું છે " 
" બીજાના સુખમાં આપણું સુખ છે " 
" બીજાના ઉત્કર્ષ માં આપણો ઉત્કર્ષ છે"
 🙏🙏🙏🙏🙏

Saturday, October 30, 2021

વાસ્તુદોષ

એક વ્યક્તિએ વેપારમાં ઉન્નતિ થયા બાદ લંડનમાં જમીન લીધી ને સરસ બંગલો બનાવ્યો.

જમીન પર પહેલેથી જ એક સરસ સ્વિમિંગ પુલ અને100 વરસ જૂનું લિચી નું ઝાડ હતું.

એ જગ્યા એમણે એ લિચી ના ઝાડને કારણે જ લીધેલી, કારણકે એની પત્નીને લિચી ખુબ જ પ્રિય હતી.

કેટલાક સમય પછી એમણે Renovation નું કામ કરવા ધાર્યું ત્યારે એમના મિત્રોએ સલાહ આપી કે એણે કોઈ વાસ્તુશાસ્ત્રીની સલાહ લેવી જોઈએ.

જો કે એને આવી કોઈ વાત પર વિશ્વાસ નહોતો પણ મિત્રોનું મન રાખવા એ માની ગયા અને
Hongkong ના 30 વરસથી વાસ્તુ શાસ્ત્રમાં પ્રસિદ્ધ
Master Cao  ને બોલાવી લીધા.

એમને Airport થી લીધા, બન્ને શહેરમાં જમ્યા અને પછી એમને પોતાની કારમાં પોતાને ઘેર લાવવા નીકળ્યા.

રસ્તામાં કોઈપણ કાર એમને Overtake કરવાની કોશિશ કરે, એ એને રસ્તો આપી દેતા.

Master Cao એ હસતા હસતા કહ્યું તમે ખૂબ Safe driving કરો છો. એણે પણ હસતા હસતા જ કીધું કે લોકો હમેશા Overtake ત્યારે જ કરે છે જ્યારે તેમને કોઈ અનિવાર્ય કાર્ય હોય, તો આપણે એમને રસ્તો આપવો જોઈએ.

ઘર સુધી પહોંચતા રસ્તો થોડો સાંકડો થઈ ગયો એટલે એણે કાર વધુ ધીમી કરી નાખી.ત્યારે જ અચાનક એક નાનો છોકરો હસતો હસતો ગલીમાંથી નીકળી ખૂબ ઝડપથી દોડતો એમની કાર આગળથી જ રસ્તો ક્રોસ કરી જતો રહ્યો.એ એ જ ધીમી ગતિથી પેલી ગલી બાજુ જોતા રહ્યા, જેમ કે એને કોઈની રાહ હોય, ત્યાં અચાનક એ જ ગલીમાંથી બીજો એક છોકરો તેજ ગતિથી દોડતો એમની કાર પાસેથી નીકળી ગયો, કદાચ પેલા આગળના બાળકનો પીછો કરતા કરતા.
Master Cao એ હેરાનીથી પૂછ્યું - તમને કેવી રીતે ખબર પડી કે બીજો છોકરો પણ દોડતો દોડતો નીકળશે?

એણે બહુ સહજભાવે કીધું, બાળકો હંમેશા એકબીજાની પાછળ દોડતા રહેતા હોય છે અને એ વાત પર વિશ્વાસ કરવો જ અસંભવ છે કે કોઈ સાથીદાર વગર કોઈ બાળક આવી ધમાલ કે ભાગદોડ કરતું હોય.

Master Cao આ વાત સાંભળી જોરથી હસ્યાં અને બોલ્યા, તમે નિઃસંદેહ ખૂબ જ સમજદાર વ્યક્તિ છો.

ઘર સુધી, પહોંચી બન્ને કારમાંથી ઉતર્યા,ત્યાં અચાનક ઘરની પાછળથી  7-8 પક્ષીઓ એકદમ ઝડપથી ઉડતા જોવામાં આવ્યા. એ જોઈને એણે Master Cao ને કીધું કે તમને ખરાબ ન લાગે તો આપણે થોડી વાર રોકાઈ જઈએ અહીં?

Master Cao એ કારણ જાણવા માગ્યુ તો એણે કહ્યું કે લગભગ કોઈ બાળકો ઝાડવા પરથી લિચી ચોરતા હશે, ને અચાનક આપણને જોઈને ગભરાહટમાં ભાગદોડ કરશેકે ઝાડ પર થી પડી જશે તો કોઈ બિચારા બાળકને ઇજા થઇ જશે.

Master Cao..... થોડો સમય

ચૂપ રહયા,પછી સંયમિત અવાજમાં બોલ્યા,
મિત્ર,
આ ઘર પર કોઈ જ વાસ્તુદોષ પણ નથી અને વાસ્તુદોષ નિવારણ ની કોઈ આવશ્યકતા પણ નથી.

એણે ખૂબ હેરાનીથી પૂછ્યું, કેમ?

Master Cao
જ્યાં તમારા જેવા વિવેકપૂર્ણ અને આસપાસના લોકોની ફક્ત ભલાઈ માટે જ વિચારતા લોકો રહેતા હોય,
એ સ્થાન/સંપત્તિ વાસ્તુશાસ્ત્ર ના નિયમ પ્રમાણે ખૂબ જ પવિત્ર-સુખદાયી-ફળદાયી જ રહેશે.

જયારે આપણું મન અને મસ્તિષ્ક બીજાની ખુશી અને શાંતિને પ્રાથમિકતા આપવા લાગશે, તો એનાથી બીજાને જ નહીં, આપણને પોતાને પણ માનસિક લાભ-શાંતિ- પ્રસન્નતા મળે છે.

જો કોઈ વ્યક્તિ કાયમ સ્વયં ની પહેલા બીજાનું ભલુ વિચારવા લાગે તો અજાણતા જ એને સંતત્વ પ્રાપ્ત થઈ જાય છે.

જેને કારણે બીજાનું ભલું પણ થતું જાય અને એને પોતાને જ્ઞાનબોધ મળે છે.

ભલે આપણે પ્રતિજ્ઞા ન કરીએ પરંતુ એવા પ્રયત્ન તો જરૂર કરીએ કે આપણામાં પણ કોઈ એવા ગુણ વિકસિત થઈ જાય,જેથી આપણા ઘરમાં પણ કોઈ પ્રકારના દોષની શાંતિ માટે મંત્ર તંત્ર ની આવશ્યકતા જ  ન રહે.

Sunday, June 13, 2021

वायु के प्रकार

सुंदरकांड पढ़ते हुए 25 वें दोहे में एक स्थान पर 49 मरुत की बात कही गई है। तुलसीदास ने सुन्दर कांड में,  जब हनुमान जी ने लंका मे आग लगाई थी, उस प्रसंग पर लिखा है -

हरि प्रेरित तेहि अवसर चले मरुत उनचास।
अट्टहास करि गर्जा कपि बढ़ि लाग अकास।।25।।

अर्थात : जब हनुमान जी ने लंका को अग्नि के हवाले कर दिया तो --
भगवान की प्रेरणा से उनपचासों पवन चलने लगे।
हनुमान जी अट्टहास करके गर्जे और आकार बढ़ाकर आकाश से जा लगे।

विचार आया कि इन उनचास मरुत का क्या अर्थ है ? यह तुलसी दास जी ने भी नहीं लिखा। फिर सुंदरकांड पूरा करने के बाद समय निकालकर 49 प्रकार की वायु के बारे में जानकारी खोजी और अध्ययन करने पर सनातन धर्म पर अत्यंत गर्व हुआ। तुलसीदासजी के वायु ज्ञान पर सुखद आश्चर्य हुआ, जिससे शायद आधुनिक मौसम विज्ञान भी अनभिज्ञ है ।
        
आपको यह जानकर आश्चर्य होगा कि वेदों में वायु की 7 शाखाओं के बारे में विस्तार से वर्णन मिलता है। अधिकतर लोग यही समझते हैं कि वायु तो एक ही प्रकार की होती है, लेकिन उसका रूप बदलता रहता है, जैसे कि ठंडी वायु, गर्म वायु और समान वायु, लेकिन ऐसा नहीं है। 

दरअसल, जल के भीतर जो वायु है उसका वेद-पुराणों में अलग नाम दिया गया है और आकाश में स्थित जो वायु है उसका नाम अलग है। अंतरिक्ष में जो वायु है उसका नाम अलग और पाताल में स्थित वायु का नाम अलग है। नाम अलग होने का मतलब यह कि उसका गुण और व्यवहार भी अलग ही होता है। इस तरह वेदों में 7 प्रकार की वायु का वर्णन मिलता है।

ये 7 प्रकार हैं- 1.प्रवह, 2.आवह, 3.उद्वह, 4. संवह, 5.विवह, 6.परिवह और 7.परावह।
 
1. प्रवह : पृथ्वी को लांघकर मेघमंडलपर्यंत जो वायु स्थित है, उसका नाम प्रवह है। इस प्रवह के भी प्रकार हैं। यह वायु अत्यंत शक्तिमान है और वही बादलों को इधर-उधर उड़ाकर ले जाती है। धूप तथा गर्मी से उत्पन्न होने वाले मेघों को यह प्रवह वायु ही समुद्र जल से परिपूर्ण करती है जिससे ये मेघ काली घटा के रूप में परिणत हो जाते हैं और अतिशय वर्षा करने वाले होते हैं। 
 
2. आवह : आवह सूर्यमंडल में बंधी हुई है। उसी के द्वारा ध्रुव से आबद्ध होकर सूर्यमंडल घुमाया जाता है।
 
3. उद्वह : वायु की तीसरी शाखा का नाम उद्वह है, जो चन्द्रलोक में प्रतिष्ठित है। इसी के द्वारा ध्रुव से संबद्ध होकर यह चन्द्र मंडल घुमाया जाता है। 
 
4. संवह : वायु की चौथी शाखा का नाम संवह है, जो नक्षत्र मंडल में स्थित है। उसी से ध्रुव से आबद्ध होकर संपूर्ण नक्षत्र मंडल घूमता रहता है।
 
5. विवह : पांचवीं शाखा का नाम विवह है और यह ग्रह मंडल में स्थित है। उसके ही द्वारा यह ग्रह चक्र ध्रुव से संबद्ध होकर घूमता रहता है। 
 
6. परिवह : वायु की छठी शाखा का नाम परिवह है, जो सप्तर्षिमंडल में स्थित है। इसी के द्वारा ध्रुव से संबद्ध हो सप्तर्षि आकाश में भ्रमण करते हैं।
 
7. परावह : वायु के सातवें स्कंध का नाम परावह है, जो ध्रुव में आबद्ध है। इसी के द्वारा ध्रुव चक्र तथा अन्यान्य मंडल एक स्थान पर स्थापित रहते हैं।
 
   इन सातो वायु के सात सात गण हैं जो निम्न जगह में विचरण करते हैं

 ब्रह्मलोक, इंद्रलोक, अंतरिक्ष, भूलों की पूर्व दिशा, भूलोक की पश्चिम दिशा, भूलोक की उत्तर दिशा और भूलोक कि दक्षिण दिशा। इस तरह  
7 × 7=49। कुल 49 मरुत हो जाते हैं जो देव रूप में विचरण करते रहते हैं।
  
 है ना अद्भुत ज्ञान। हम अक्सर रामायण, भगवद् गीता पढ़ तो लेते हैं परंतु उनमें लिखी छोटी-छोटी बातों का गहन अध्ययन करने पर अनेक गूढ़ एवं ज्ञानवर्धक बातें ज्ञात होती हैं।

Friday, June 11, 2021

नर्मदा

मैं नर्मदा हूं। जब गंगा नहीं थी , तब भी मैं थी। जब हिमालय नहीं था , तभी भी मै थी। मेरे किनारों पर नागर सभ्यता का विकास नहीं हुआ। मेरे दोनों किनारों पर तो दंडकारण्य के घने जंगलों की भरमार थी। इसी के कारण आर्य मुझ तक नहीं पहुंच सके। मैं अनेक वर्षों तक आर्यावर्त की सीमा रेखा बनी रही। उन दिनों मेरे तट पर उत्तरापथ समाप्त होता था और दक्षिणापथ शुरू होता था।

मेरे तट पर मोहनजोदड़ो जैसी नागर संस्कृति नहीं रही, लेकिन एक आरण्यक संस्कृति अवश्य रही। मेरे तटवर्ती वनों मे मार्कंडेय, कपिल, भृगु , जमदग्नि आदि अनेक ऋषियों के आश्रम रहे । यहाँ की यज्ञवेदियों का धुआँ आकाश में मंडराता था । ऋषियों का कहना था कि तपस्या तो बस नर्मदा तट पर ही करनी चाहिए। 

इन्हीं ऋषियों में से एक ने मेरा नाम रखा, " रेवा "। रेव् यानी कूदना। उन्होंने मुझे चट्टानों में कूदते फांदते देखा तो मेरा नाम "रेवा" रखा।
एक अन्य ऋषि ने मेरा नाम "नर्मदा " रखा ।"नर्म" यानी आनंद । आनंद देनेवाली नदी।

मैं भारत की सात प्रमुख नदियों में से हूं । गंगा के बाद मेरा ही महत्व है । पुराणों में जितना मुझ पर लिखा गया है उतना और किसी नदी पर नहीं । स्कंदपुराण का "रेवाखंड " तो पूरा का पूरा मुझको ही अर्पित है।

"पुराण कहते हैं कि जो पुण्य , गंगा में स्नान करने से मिलता है, वह मेरे दर्शन मात्र से मिल जाता है।"

मेरा जन्म अमरकंटक में हुआ । मैं पश्चिम की ओर बहती हूं। मेरा प्रवाह आधार चट्टानी भूमि है। मेरे तट पर आदिमजातियां निवास करती हैं । जीवन में मैंने सदा कड़ा संघर्ष किया।

मैं एक हूं ,पर मेरे रुप अनेक हैं । मूसलाधार वृष्टि पर उफन पड़ती हूं ,तो गर्मियों में बस मेरी सांस भर चलती रहती है।
मैं प्रपात बाहुल्या नदी हूं । कपिलधारा , दूधधारा , धावड़ीकुंड, सहस्त्रधारा मेरे मुख्य प्रपात हैं ।

ओंकारेश्वर मेरे तट का प्रमुख तीर्थ है। महेश्वर ही प्राचीन माहिष्मती है। वहाँ  के घाट देश के सर्वोत्तम घाटों में से है ।

मैं स्वयं को भरूच (भृगुकच्छ) में अरब सागर को समर्पित करती हूँ ‌।

मुझे याद आया।
 अमरकंटक में मैंने कैसी मामूली सी शुरुआत की थी। वहां तो एक बच्चा भी मुझे लांघ जाया करता था पर यहां मेरा पाट 20 किलोमीटर चौड़ा है । यह तय करना कठिन है कि कहां मेरा अंत है और कहां समुद्र का आरंभ? पर आज मेरा स्वरुप बदल रहा है। मेरे तटवर्ती प्रदेश बदल गए हैं मुझ पर कई बांध बांधे जा रहे हैं। मेरे लिए यह कष्टप्रद तो है पर जब अकालग्रस्त , भूखे-प्यासे लोगों को पानी, चारे के लिए तड़पते पशुओं को , बंजर पड़े खेतों को देखती हूं , तो मन रो पड़ता है। आखिर में माँ हूं।

मुझ पर बने बांध इनकी आवश्यकताओं को पूरा करेंगें। अब धरती की प्यास बुझेगी । मैं धरती को सुजला सुफला बनाऊंगी। यह कार्य मुझे एक आंतरिक संतोष देता है।
त्वदीय पाद पंकजम, नमामि देवी नर्मदे...

नर्मदे सर्वदे 
{अमृतस्य नर्मदा} 

फेसबुक पोस्ट से साभार।

Sunday, June 6, 2021

नवधा भक्ति

*प्राचीन शास्त्रों में भक्ति के 9 प्रकार बताए गए हैं जिसे नवधा भक्ति कहते हैं।*

*श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम्।*
*अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम् ॥*

*श्रवण* (परीक्षित), *कीर्तन* (शुकदेव), *स्मरण* (प्रह्लाद), *पादसेवन* (लक्ष्मी), *अर्चन* (पृथुराजा), *वंदन* (अक्रूर), *दास्य* (हनुमान), *सख्य* (अर्जुन) और *आत्मनिवेदन* (बलि राजा) - इन्हें नवधा भक्ति कहते हैं।

*श्रवण:* ईश्वर की लीला, कथा, महत्व, शक्ति, स्रोत इत्यादि को परम श्रद्धा सहित अतृप्त मन से निरंतर सुनना।

*कीर्तन:* ईश्वर के गुण, चरित्र, नाम, पराक्रम आदि का आनंद एवं उत्साह के साथ कीर्तन करना।

*स्मरण:* निरंतर अनन्य भाव से परमेश्वर का स्मरण करना, उनके महात्म्य और शक्ति का स्मरण कर उस पर मुग्ध होना।

*पाद सेवन:* ईश्वर के चरणों का आश्रय लेना और उन्हीं को अपना सर्वस्व समझना।

*अर्चन:* मन, वचन और कर्म द्वारा पवित्र सामग्री से ईश्वर के चरणों का पूजन करना।

*वंदन:* भगवान की मूर्ति को अथवा भगवान के अंश रूप में व्याप्त भक्तजन, आचार्य, ब्राह्मण, गुरूजन, माता-पिता आदि को परम आदर सत्कार के साथ पवित्र भाव से नमस्कार करना या उनकी सेवा करना।

*दास्य:* ईश्वर को स्वामी और अपने को दास समझकर परम श्रद्धा के साथ सेवा करना।

*सख्य:* ईश्वर को ही अपना परम मित्र समझकर अपना सर्वस्व उसे समर्पण कर देना तथा सच्चे भाव से अपने पाप पुण्य का निवेदन करना।

*आत्मनिवेदन:* अपने आपको भगवान के चरणों में सदा के लिए समर्पण कर देना और कुछ भी अपनी स्वतंत्र सत्ता न रखना। यह भक्ति की सबसे उत्तम अवस्था मानी गई हैं।

Saturday, April 10, 2021

Top 10 Gujrati Novel

૩ હજારથી વધુ નવલકથાઓમાંથી ૧૦ પસંદ કરવાનું સર્વથા મુશ્કેલ જ હોય. આમ છતાં નવી પેઢીના વાચકને ધ્યાનમાં રાખીને અમે ૧૦ પ્રતિનિધિ કથાઓ અહીં રજૂ કરી છે

🌀સરસ્વતીચંદ્ર
ગુજરાતી નવલકથાની વાત નીકળે ત્યારે જેનાં થકી આરંભ કરવો અનિવાર્ય ગણાય એ ગો.મા.ત્રિપાઠી રચિત આ મહાનવલ એ પંડિતયુગની મહાનવલ તરીકે સુવિખ્યાત છે. સાહિત્યના અનેક નવા માપદંડો સર્જનાર આ કૃતિ તેનાં લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીએ નોંધ્યા મુજબ, પરિવારધર્મ અને રાજ્યધર્મ વિશેના પોતાના ચિંતનને રજૂ કરવા માટે તેમણે સરસ્વતીચંદ્રના સર્જન દ્વારા નવલકથા રચી હતી.

બુદ્ધિધનનો કારભાર, ગુણસુંદરીની કુટુંબજાળ, રત્નનગરીનું રાજ્યતંત્ર અને સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય એવા શીર્ષકથી ચાર ભાગના આશરે ૧૮૦૦ પાનાઓમાં વહેંચાયેલી આ નવલકથાને આરંભથી પૂર્ણાહુતિ સુધી પહોંચવામાં ૧૫ વર્ષ લાગ્યા હતા. જીવન વિશેની ભારતની પ્રાચીન તેમજ અર્વાચીન અને પશ્ચિમી વિશ્વની અર્વાચીન પરિકલ્પનાને રજૂ કરતી આ કથાને વિશિષ્ટ પાત્રસૃષ્ટિ દ્વારા લેખકે જીવંત, હૃદયસ્પર્શી અને ચીરસ્મરણિય બનાવી છે. કુમુદસુંદરી, સરસ્વતીચંદ્ર, બુદ્ધિધન વગેરે પાત્રો આશરે સવાસો વર્ષથી લોકમાનસમાં દૃઢ થયેલા છે.

આ નવલકથા પરથી ફિલ્મ અને ટીવી સિરિયલ પણ બન્યા છે અને દરેક પેઢીના દરેક ક્ષેત્રના સર્જકને આ મહાનવલકથાનું કથાવસ્તુ આકર્ષતું રહે છે.

🌀ગુજરાતનો નાથ
ધસમસતી નદી તેવા તોફાની, રોચક અને જકડી રાખે તેવો ઘટનાક્રમ ધરાવતી આ નવલકથા એ કનૈયાલાલ મુનશી રચિત ત્રિ-નવલ પૈકીનો મધ્ય મણકો છે. પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ એ ક્રમમાં મધ્યયુગના સોલંકી શાસનનો ઇતિહાસ વિવિધ કથાનકો, પાત્રો, કાલ્પનિક ઘટનાઓનો આધાર લઈને આગળ વધે છે. છતાં દરેક નવલકથા અલગ રીતે પણ એટલી જ વાચનક્ષમ બની છે. 

મધ્યયુગમાં લાટપ્રદેશ તરીકે ઓળખાતા (આજના ભરુચ)નો એક બ્રાહ્મણ યોદ્ધો નામે કાકભટ્ટ આપબળે સોલંકીરાજના પાટનગર પાટણમાં પોતાનું મહત્ત્વ સ્થાપિત કરે છે. બાહુબળ અને કુશાગ્ર બુદ્ધિના જોરે મુત્સદ્દીગીરીના આટાપાટા વચ્ચે ફેલાયેલી આ કથામાં મંજરીના પાત્ર વડે મુનશીએ એક સ્ત્રીના બૌદ્ધિક ચમકારા પણ અજોડ રીતે દર્શાવ્યા છે. ગુજરાતી કથાસાહિત્યમાં સર્વધા લોકપ્રિય પાત્રોની સુચિ બને તો તેમાં કાકભટ્ટ અને મંજરીનો પણ સમાવેશ કરવો પડે.

🌀માનવીની ભવાઈ
સાહિત્ય એટલે નર્યો આદર્શવાદ, સાહિત્ય એટલે કોરી પંડિતાઈ, સાહિત્ય એટલે શિષ્ટ ભાષા એવી પ્રચલિત થયેલી સમજનો છેદ ઉડાડીને ધરાતળના અબુધ, નિરક્ષર છતાં સંવેદનોથી છલોછલ પાત્રો વડે લોકપ્રિય નીવડેલી નવલકથા તરીકે પન્નાલાલ પટેલ રચિત 'માનવીની ભવાઈ' શિરમોર ગણાય છે.

છેવાડાના ગામડાની વાત છે. એક પછી એક પડતા કારમા દુષ્કાળ વચ્ચે જીવાતી જિંદગીનો માહોલ છે. કાળુ, રાજુ, ભલી, માલી ડોશી જેવા ગ્રામિણ છતાં પોતીકા લાગે તેવા પાત્રો છે અને તેમની વચ્ચે સર્જાતા હૈયુ વલોવી નાંખતા પ્રસંગો છે. આ નવલકથાએ ગુજરાતી વાચકોની બબ્બે પેઢીની આંખો ભીની કરી છે અને જ્યાં સુધી, જ્યાં પણ ગુજરાતી વંચાતું રહેશે ત્યાં સુધી આ નવલકથા વાંચવી અનિવાર્ય ગણાશે.

લોકબોલીની અનેરી છાંટ અને તળપદા રીતિરિવાજ કે પરંપરાનો અદ્ભૂત સમન્વય, પહેરવેશથી માંડીને ખોરાક સહિતના ઉલ્લેખોમાં જળવાતું સુરેખપણું અને પાત્રોની બહુરંગી વિવિધતા થકી આ કથા દરેક પેઢીના, દરેક વયના વાચકને પોતે નજરે જોયેલી ઘટનાઓના ચિત્રણ સમી લાગે છે.

🌀ઝેર તો પીધાં છે જાણી જાણી
કાઠિયાવાડના નાનકડાં ગામમાંથી આરંભ પામતી આ કથા બીજા વિશ્વયુદ્ધની પશ્ચાદભૂમાં યુરોપના સીમાડાઓને આંબે છે. રોહીણી અને સત્યકામ જેવા બે મુખ્યપાત્રના આંતરસંબંધને આલેખતી આ સુદીર્ઘ નવલકથાનો એક છેડો માનવીય સંવેદનાને અડે છે તો બીજો છેડો જાગતિક પરિવર્તનને સ્પર્શે છે. ગોપાળબાપાની વાડીના સુંદરતમ વર્ણનો સાથે શરૃ થતી આ નવલકથા સ્વાતંત્ર્ય સંગ્રામના વિચારમાં વહેતી પૂર્વ ભારત સુધી પહોંચે છે. બીજા ભાગમાં સત્યકામ વિશ્વયુદ્ધની અંધાધુંધી વચ્ચે અટવાયેલા યુરોપમાં પોતાનું સત્ય પામવા મથે છે, અને ત્રીજા ભાગમાં બર્માના મોરચે યુદ્ધની બિભિષિકા વચ્ચે પનપતા માનવીય સંબંધોમાં પરોવાઈને વાર્તા અંતે આરંભબિંદુએ આવીને અટકે છે.

ગ્રામ્ય માહોલમાં ઉછરેલા રોહિણી અને સત્યકામના વૈચારિક વિકાસનો આલેખ આ મહાનવલના ત્રણ ભાગમાં વિશદ્ રીતે રજૂ થયો છે. બંને વચ્ચે એકમેક પ્રત્યે ઊંડી લાગણી છે, પરંતુ રોહિણી હેમંતને પરણી છે અને સત્યકામ એ આઘાત પચાવીને નીજ સત્ય શોધવા સમગ્ર વિશ્વ ભમતો રહે છે. વિવિધ અનુભવો, બહુવિધ સમાજધારા અને વિચારધારાનો સંસ્પર્શ પામીને આંતર સમૃદ્ધ થઈ તે પોતાના મૂળ તરફ પાછો ફરે છે. 'દર્શક'ની ધીરગંભીર શૈલી, ઘટનાઓ ઉપસાવવાની કાબેલિયત અને પોતીકા બનતાં જતાં પાત્રો થકી આ મહાનવલ વાચકના ચિત્ત પર દીર્ઘકાલીન અસર છોડી જાય છે.

🌀ભારેલો અગ્નિ
સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય ભૂમિકા નિભાવનાર વિનાયક સાવરકરે ૧૮૫૭નો ઇતિહાસ લખ્યો હતો. એ પુસ્તકથી પ્રભાવિત થઈને ર.વ.દેસાઈએ 'ભારેલો અગ્નિ' નામે નવલકથા લખી. કનૈયાલાલ મુનશીની ઈતિહાસનું કથાબિંદુ ધરાવતી નવલકથાઓની અપાર લોકપ્રિયતાની સમાંતરે ર.વ.દેસાઈએ ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામની પશ્ચાદભૂમાં લખેલી 'ભારેલો અગ્નિ' પણ એટલી જ લોકપ્રિય નીવડી હતી એ તેમની યશસ્વી સિદ્ધિ ગણવી પડે.

વતનની મુક્તિ કાજે સશસ્ત્ર અને હિંસક ક્રાંતિ જગાવવાની આલબેલ વચ્ચે રૃદ્રદત્તના પાત્ર દ્વારા આ નવલકથામાં અહીંસાને જ છેવટના મુક્તિમાર્ગ તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ થયો છે. વાસ્તવિક અને કાલ્પનિક પાત્રો, ઘટનાઓના આબાદ મિશ્રણ દ્વારા રજૂ થયેલ જોશીલો ઘટનાપ્રવાહ તેમજ ચોટદાર સંવાદો થકી આ નવલકથા ધ્વંસ અને સર્જન, હિંસા અને અહિંસા વચ્ચેની ખેંચતાણને રસપ્રદ અને બોધના ભાર વિના રજૂ કરે છે.

🌀વેવિશાળ
ગઈ સદીના અદ્દલ ગુજરાતીપણાંનો આયનો ધરતી ઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા 'વેવિશાળ' એ હરહંમેશ ગુજરાતી જીવનનો દસ્તાવેજી આલેખ બની રહે એટલી સબળ કૃતિ છે. બાળપણમાં દેવાયેલા કોલ મુજબ નક્કી થયેલાં લગ્નો, ધનિક બની ગયેલા પરિવારના ગરીબ ઘરમાં થનાર વેવિશાળ, મુખ્ય પાત્રોની કશ્મકશ, ઘમંડ અને મિથ્યાભિમાન વચ્ચે સળવળતી જતી સંવેદના એ આ નવલકથાનું પ્રધાનતત્ત્વ છે.

સમાજજીવનના સારાં-નરસાં તમામ પાસાંઓના આલેખન ઉપરાંત મેઘાણીની કલમે અહીં પાત્રસૃષ્ટિ પણ બળુકી નીપજી છે. મેઘાણીની શૈલીનો ધસમસતો વેગ આ નવલકથામાં પાને-પાને વર્તાય છે. પાત્રો, ઘટનાઓની પ્રચુરતાને બદલે મેઘાણીએ અહીં માનવીય ભાવોના નિરુપણ થકી ચમત્કૃતિ સર્જી છે. બે પરિવાર વચ્ચેના સામાજિક દરજ્જાના અંતર અને તેને લીધે વેવિશાળ કરવું કે ન કરવું એ સવાલને મહત્ત્વપૂર્ણ બનાવીને મેઘાણી આ કૃતિમાં આખરે માનવીય મૂલ્યો, પરંપરા અને ખાનદાનીનું આબાદ ચિત્રણ કરે છે.

🌀પેરેલિસિસ
૧૯ ભાષાઓમાં અનુદિત થયેલી ચંદ્રકાન્ત બક્ષીની આ યશસ્વી નવલકથા તેનાં અવતરણ વખતે જમાના કરતાં આગળ હોવાનું કહેવાતું હતું. આજે પચ્ચીશ વર્ષ બાદ પણ એ નવલકથા એટલી જ પરિપક્વ અને વાચનક્ષમ હોવા ઉપરાંત જમાનાથી આગળ જ લાગે એ કથાકાર તરીકે બક્ષીની સિદ્ધિ છે.

ગુજરાતી કથાસાહિત્યમાં ઘટનાપ્રધાન નવલકથાઓને સામાજિક, ઐતિહાસિક એવા પ્રચલિત કથાનકોથી એક ડગલું આગળ લઈ જતી આ નવલકથા મનોવૈજ્ઞાાનિક દૃષ્ટિકોણ પૂરો પાડે છે. પ્રોફેસર આરામ શાહના જીવનમાં આકસ્મિક શરૃ થયેલી ઉથલપાથલ કહેતી આ કથા ભાવવિશ્વની સંકુલતાને ગજબનાક સંવાદો દ્વારા એટલી અસરકારક રીતે રજૂ કરે છે કે ઘટનાપ્રવાહની આદતથી ટેવાયેલો વાચક મનોભાવના અતિરેકને પણ આસાનીથી પચાવી જાય છે.

નવલકથા તરીકે પ્રયોગાત્મક ગણાતી 'પેરેલિસિસ' વાચકોને અભિભૂત કરી રહે છે, તો સાહિત્યના અભ્યાસુઓ, વિદ્યાર્થીઓ માટે પાઠમાળા પણ બની શકે છે. એટલે જ આ નવલકથા વિવિધ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પણ સ્થાન પામી ચૂકી છે.

🌀જડ-ચેતન
કહેવાય છે કે 'મહાભારત' ટીવીશ્રેણી જ્યારે પ્રસારિત થતી હતી એટલો વખત સમગ્ર ભારત થંભી જતું હતું. આવું જ ગુજરાત વિશે અન્ય સંદર્ભે કહી શકાય તેમ છે કે, જ્યારે તુલસી કોમામાં સરી પડી હતી ત્યારે આખું ય ગુજરાત તેનાં જલદી સાજાં થઈ જવા માટે પ્રાર્થના કરતું હતું! જી હા, એ નવલકથા એટલે 'જડ-ચેતન' અને લેખક એટલે હરકિશન મહેતા.

અરુણા શાનબાગ નામની મુંબઈની કેઈએમ હોસ્પિટલની એક નર્સ પર બળાત્કારનો પ્રયાસ થયો અને આઘાતને લીધે એ કોમામાં સરી પડી. આ સમાચારમાંથી નવલકથાનું બીજ શોધીને હરકિશન મહેતાએ તુલસીનું પાત્ર સર્જ્યું. એક ભ્રષ્ટાચારી પ્રધાનના સ્વિસ બેન્કના એકાઉન્ટ અંગે અજાણતા જ માહિતગાર થઈ ગયેલી તુલસી કોઈને જાણ કરે એ પહેલાં જ કોમામાં સરી પડે છે. તેનો બાળપણનો મિત્ર ચિંતન તેને સાજી કરવા માટે મથતો રહે છે.

જીવંત પાત્રો, લાજવાબ ઘટનાક્રમ અને જકડી રાખતી નાટયાત્મકતાને લીધે જડ-ચેતન એટલી બધી લોકપ્રિય બની હતી કે ઘરે-ઘરે તેની ચર્ચા થતી હતી અને નવા અંકનો હપ્તો વાંચી લેવા માટે લોકો બેચેન રહેતા હતા.

🌀દરિયાલાલ
૧૫૦૦ કિલોમીટર લાંબો દરિયાકાંઠો ધરાવતા ગુજરાત પાસે પોતાની કહી શકાય તેવી દરિયાઈ સાહસકથા કેટલી એવો સવાલ જો થાય તો આપણે ગુણવંતરાય આચાર્યની નવલકથાઓ કહી શકાય તેમ છે. આજથી ૮૦ વર્ષ પહેલાં એટલે કે ૧૯૩૮માં લખાયેલી 'દરિયાલાલ'નો એક-એક શબ્દ આજે પણ સાંપ્રત લાગે એ લેખક ગુણવંતરાય આચાર્યની કલમની કમાલ છે.

કેટલાંક ઐતિહાસિક પાત્રો, કેટલીક દંતકથાઓ અને કલ્પના એવા મિશ્રણમાંથી નીપજેલી આ કથા તેના વેગીલા ઘટનાપ્રવાહ, અનોખા પાત્રાંકનો અને વિશિષ્ટ માહોલના કારણે અતિ રસપ્રદ બને છે. લધાભા નામના મોટા વેપારીની પેઢી જંગબારમાં ગુલામોનો વેપાર કરે છે અને રામજીભા તેમના વિશ્વાસુ કર્મચારી છે. એકવાર અકસ્માતે ગુલામો બહુ દારુણ હાલતમાં મોતને ભેટે છે. આથી વ્યથિત થયેલા રામજીભા ગુલામોનો આ વેપાર અને સમૂળી પ્રથા જ નાબુદ કરવાના પ્રણ લે છે.

આવા કથાતંતુને લેખકે દરિયાઈ સાહસો, ચાંચિયાઓ સાથેની મુઠભેડ અને હવામાનના પલટાઓના આબાદ વર્ણનો વડે બેહદ જીવંત અને સાક્ષાત બનાવી દીધી છે. ગુજરાતી વાચકોની પ્રત્યેક પેઢી માટે આ નવલકથા જાણે આજની જ વાત હોય એટલી રોચક બની રહે છે.

🌀ઓથાર
કોઈપણ ઉંમરના સરેરાશ ગુજરાતી વાચકને તેને ગમતી પ્રિય ૧૦ ગુજરાતી નવલકથાનું લિસ્ટ બનાવવાનું કહો તો કદાચ ૯૦ ટકા વાચકોની સુચિમાં એક નામ અચૂક જડી આવશે :  ઓથાર! અશ્વિની ભટ્ટ રચિત આ નવલકથાની વિશેષતા એ છે કે તેમાં ઈતિહાસ પણ છે, રાજનીતિ પણ છે, ભૂગોળ પણ છે, મનોવિજ્ઞાાન અને માનવિય સંવેદના ય ભરચક છે અને આખી નવલકથા પોતે એક નિતાંત સુંદર કવિતા પણ છે.

૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાના ભયાનક ઓથાર તળે જીવતાં ઝુંઝાર પાત્રો નિષ્ફળતાના એ કલંકને મિટાવવા મથે છે. ફક્ત આટલો કથાતંતુ અશ્વિનીની કલમે અનેક ઝરણાંઓનો મંજુલ નિનાદ વહેતો વહેતો મહાનદને મળે એ રીતે એક દળદાર નવલકથાનું સ્વરૃપ ધારણ કરે છે. અશ્વિની ભટ્ટે સર્જેલા સેના બારનીશ, સંતોજી, સેજલ, રાજેશ્વરીદેવી, બલિરામ અને ખૈરાસિંઘ જેવા પાત્રોનો પ્રભાવ એટલો પ્રચંડ છે કે વાચક લાંબા સમય સુધી તેના કેફમાં સરી પડે છે.

ઓથારની ખરી કમાલ તેના બેનમૂન વર્ણનોમાં છે. ખાસ કરીને ભેડાઘાટ અને નર્મદાના વર્ણનથી વાચકોની પ્રત્યેક પેઢી મંત્રમુગ્ધ થતી રહી છે.

Tuesday, January 19, 2021

English is a funny language.

When you are bored just think about a few things that don't make sense ...like ;
🤔
1. If poison expires, is it more poisonous or is it no longer poisonous?
🤔
2. Which letter is silent in the word "Scent," the S or the C?
🤔
3. Do twins ever realize that one of them is unplanned?
🤔
4. Why is the letter W, in English, called double U? Shouldn't it be called double V?
🤔
5. Maybe oxygen is slowly killing you and It just takes 75-100 years to fully work.
🤔
6. Every time you clean something, you just make something else dirty.
🤔
7. The word "swims" upside-down is still "swims"
🤔
8. 100 years ago everyone owned a horse and only the rich had cars. Today everyone has cars and only the rich own horses.
🤔
9. If you replace "W" with "T" in "What, Where and When", you get the answer to each of them.
🤔
Six great confusions still unresolved 😄😂
1. At a movie theatre, which arm rest is yours?
2. If people evolve from monkeys, why are monkeys still around?
3. Why is there a 'D' in fridge,but not in refrigerator?
4. Who knew what time it was when the first clock was made?
😀😀😀
We can never find the answers, can we?
So just enjoy the pun and fun of the English language!!

Monday, January 18, 2021

एक ग़ज़ल

धूप में निकलो घटाओं में नहा कर देखो 
ज़िंदगी क्या है किताबों को हटा कर देखो 

सिर्फ़ आँखों से ही दुनिया नहीं देखी जाती 
दिल की धड़कन को भी बीनाई बना कर देखो 

पत्थरों में भी ज़बाँ होती है दिल होते हैं 
अपने घर के दर-ओ-दीवार सजा कर देखो 

वो सितारा है चमकने दो यूँही आँखों में 
क्या ज़रूरी है उसे जिस्म बना कर देखो 

फ़ासला नज़रों का धोका भी तो हो सकता है 
वो मिले या न मिले हाथ बढ़ा कर देखो 

Saturday, January 2, 2021

નાની વાર્તા

શનિવારે નાનકડો છોકરો શાળાએથી ઘેર આવ્યો અને તેણે પોતાના પિતાને કહ્યું, "મારા શિક્ષકે અમને ઘરકામમાં એક કામ સોંપ્યું છે - દસ જણને ભેટવાનું અને તેમને કહેવાનું કે 'ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું'."

તેના પિતાએ કહ્યું, "કંઈ વાંધો નહીં. હું કાલે તને મોલમાં લઈ જઈશ. ત્યાં તું આ કામ પતાવી શકીશ."

છોકરો બીજે દિવસે સવારે ઉઠી, અતિ ઉત્સાહ પૂર્વક તૈયાર થઈ ગયો અને તેના પિતાને કહેવા લાગ્યો, "ચાલો પપ્પા મોલ જઈએ!".

બહાર ખૂબ જોરથી વરસાદ પડી રહ્યો હતો એટલે પિતાએ કહ્યું, "બેટા, થોડી વાર રહી ને જઈશું? અત્યારે આટલાં વરસાદમાં મોલમાં કોઈ નહીં હોય."

પણ છોકરાએ તો જીદ જ પકડી. આથી પિતાએ તેની બાળહઠ આગળ ઝૂકી જઈ, તેને ભારે વરસાદ વચ્ચે પણ કાર હંકારી મોલમાં લઈ જવો પડ્યો.

તેમણે મોલમાં એકાદ કલાક પસાર કર્યો અને છોકરો જુદા જુદા નવ લોકોને ભેટયો. હવે તેના પિતાએ કહ્યું, "બેટા વરસાદ ઘણો વધી ગયો છે, આપણે ફસાઈ જઈએ એ પહેલાં ચાલ ઘેર પહોંચી જઈએ."

છોકરો તેનો દસ જણને ભેટવાનો લક્ષ્યાંક પૂરો ન થતાં થોડો ઉદાસ થયો પણ આખરે તેણે પિતાની વાત માની અને તેઓ ઘેર પાછા ફરવા કારમાં બેઠાં. તેઓ થોડાં જ આગળ વધ્યાં હતાં ત્યાં એક ઘર માર્ગમાં સામે જ દેખાયું તેના તરફ આંગળી ચીંધતા છોકરાએ પપ્પાને કાકલૂદી કરી કાર થંભાવવા કહ્યું અને ઉમેર્યું "પપ્પા, મને પેલાં ઘરમાં જઈ આવવા દો. મારે એક જ જણને ભેટવાનું બાકી છે. મને ચોક્કસ એ ઘરમાં કોઈક મળી જશે અને હું મારું ઘરકામ પૂરું કરી શકીશ."

પિતાએ સસ્મિત પોતાના નાનકડાં પુત્રની ઈચ્છા પૂરી કરવા કાર બાજુએ લીધી અને થોભાવી.

છોકરાએ તે ઘર પાસે જઈ દરવાજાની ઘંટડી દબાવી. થોડી વાર પછી એક મહિલાએ બારણું ખોલ્યું, જે ખૂબ ઉદાસ દેખાતી હતી. છોકરાને જોઈ તેને થોડી નવાઈ લાગી. તેણે પ્રેમથી પૂછયું, "બેટા, તને કોનું કામ છે?"

આંખોમાં ચમક અને ચહેરા પર મોટા સ્મિત સાથે એ નાનકડાં છોકરાએ કહ્યું," મારાં શિક્ષકે અમને દસ જણને ભેટવા કહ્યું છે અને તેમને એમ જણાવવા કહ્યું છે કે ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું. હું નવ જણાં ને ભેટી ચૂક્યો છું, હવે એક જ જણ ને ભેટવાનું બાકી છે. શું હું તમને ભેટી શકું છું અને મારા શિક્ષકનો સંદેશો પાઠવી શકું છું?"

તે મહિલા નાનકડાં છોકરાને ભેટી પડી અને ચોધાર આંસુએ રડવા માંડી. આ જોતાં છોકરાના પિતા ત્યાં પાસે આવી ગયાં અને તેમણે મહિલાને પૂછયું કે શું તેમને કોઈ સમસ્યા છે?

મહિલાએ પોતાની જાતને સંભાળી લીધી. પિતા પુત્રને ઘરની અંદર આવવા આમંત્રણ આપ્યું. તેમને ચા પાઈ અને પછી કહ્યું, "મારા પતિનું થોડાં સમય પહેલાં મૃત્યુ થયું છે અને એ પછી હું સાવ એકલી પડી ગઈ છું. આજે તો હદ થઈ ગઈ. સવારથી મને થતું હતું કે બસ હવે મારે પણ મારા જીવનનો અંત આણી દેવો જોઈએ. થોડી વાર પહેલાં મેં ખુરશી લીધી તેના પર ચડી હું પંખે લટકી મારો જાન આપવા જ તૈયારીમાં હતી ત્યાં દરવાજે ઘંટડી વાગી. મને આશ્ચર્ય થયું કે મને મળવા તો કોઈ આવતું નથી તો પછી અત્યારે બારણે કોણ આવ્યું હશે? મેં કુતૂહલવશ દરવાજો ખોલ્યો અને ત્યાં આ દેવદૂત આવીને મને કહે છે 'ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું.' મને ખાતરી છે કે ચોક્કસ ઈશ્વરે પોતે મને આ સંદેશો તમારા પુત્ર દ્વારા મોકલ્યો છે. મારી મરવાની ઈચ્છા અને ઉદાસી ગાયબ થઈ ગયાં અને હવે મને જીવવા એક નવું બળ મળ્યું છે. "

યાદ રાખો : હંમેશા હકારાત્મક વિચારો લોકો સાથે વહેંચો. લોકોની પડખે ઉભા રહો. કંઈ બીજું ન કરી શકો તો માત્ર તેમને સાંભળો. કદાચ તમે કોઈકનું જીવન બચાવવાનું એક માધ્યમ બની શકશો.