Saturday, April 10, 2021

Top 10 Gujrati Novel

૩ હજારથી વધુ નવલકથાઓમાંથી ૧૦ પસંદ કરવાનું સર્વથા મુશ્કેલ જ હોય. આમ છતાં નવી પેઢીના વાચકને ધ્યાનમાં રાખીને અમે ૧૦ પ્રતિનિધિ કથાઓ અહીં રજૂ કરી છે

🌀સરસ્વતીચંદ્ર
ગુજરાતી નવલકથાની વાત નીકળે ત્યારે જેનાં થકી આરંભ કરવો અનિવાર્ય ગણાય એ ગો.મા.ત્રિપાઠી રચિત આ મહાનવલ એ પંડિતયુગની મહાનવલ તરીકે સુવિખ્યાત છે. સાહિત્યના અનેક નવા માપદંડો સર્જનાર આ કૃતિ તેનાં લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીએ નોંધ્યા મુજબ, પરિવારધર્મ અને રાજ્યધર્મ વિશેના પોતાના ચિંતનને રજૂ કરવા માટે તેમણે સરસ્વતીચંદ્રના સર્જન દ્વારા નવલકથા રચી હતી.

બુદ્ધિધનનો કારભાર, ગુણસુંદરીની કુટુંબજાળ, રત્નનગરીનું રાજ્યતંત્ર અને સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય એવા શીર્ષકથી ચાર ભાગના આશરે ૧૮૦૦ પાનાઓમાં વહેંચાયેલી આ નવલકથાને આરંભથી પૂર્ણાહુતિ સુધી પહોંચવામાં ૧૫ વર્ષ લાગ્યા હતા. જીવન વિશેની ભારતની પ્રાચીન તેમજ અર્વાચીન અને પશ્ચિમી વિશ્વની અર્વાચીન પરિકલ્પનાને રજૂ કરતી આ કથાને વિશિષ્ટ પાત્રસૃષ્ટિ દ્વારા લેખકે જીવંત, હૃદયસ્પર્શી અને ચીરસ્મરણિય બનાવી છે. કુમુદસુંદરી, સરસ્વતીચંદ્ર, બુદ્ધિધન વગેરે પાત્રો આશરે સવાસો વર્ષથી લોકમાનસમાં દૃઢ થયેલા છે.

આ નવલકથા પરથી ફિલ્મ અને ટીવી સિરિયલ પણ બન્યા છે અને દરેક પેઢીના દરેક ક્ષેત્રના સર્જકને આ મહાનવલકથાનું કથાવસ્તુ આકર્ષતું રહે છે.

🌀ગુજરાતનો નાથ
ધસમસતી નદી તેવા તોફાની, રોચક અને જકડી રાખે તેવો ઘટનાક્રમ ધરાવતી આ નવલકથા એ કનૈયાલાલ મુનશી રચિત ત્રિ-નવલ પૈકીનો મધ્ય મણકો છે. પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ એ ક્રમમાં મધ્યયુગના સોલંકી શાસનનો ઇતિહાસ વિવિધ કથાનકો, પાત્રો, કાલ્પનિક ઘટનાઓનો આધાર લઈને આગળ વધે છે. છતાં દરેક નવલકથા અલગ રીતે પણ એટલી જ વાચનક્ષમ બની છે. 

મધ્યયુગમાં લાટપ્રદેશ તરીકે ઓળખાતા (આજના ભરુચ)નો એક બ્રાહ્મણ યોદ્ધો નામે કાકભટ્ટ આપબળે સોલંકીરાજના પાટનગર પાટણમાં પોતાનું મહત્ત્વ સ્થાપિત કરે છે. બાહુબળ અને કુશાગ્ર બુદ્ધિના જોરે મુત્સદ્દીગીરીના આટાપાટા વચ્ચે ફેલાયેલી આ કથામાં મંજરીના પાત્ર વડે મુનશીએ એક સ્ત્રીના બૌદ્ધિક ચમકારા પણ અજોડ રીતે દર્શાવ્યા છે. ગુજરાતી કથાસાહિત્યમાં સર્વધા લોકપ્રિય પાત્રોની સુચિ બને તો તેમાં કાકભટ્ટ અને મંજરીનો પણ સમાવેશ કરવો પડે.

🌀માનવીની ભવાઈ
સાહિત્ય એટલે નર્યો આદર્શવાદ, સાહિત્ય એટલે કોરી પંડિતાઈ, સાહિત્ય એટલે શિષ્ટ ભાષા એવી પ્રચલિત થયેલી સમજનો છેદ ઉડાડીને ધરાતળના અબુધ, નિરક્ષર છતાં સંવેદનોથી છલોછલ પાત્રો વડે લોકપ્રિય નીવડેલી નવલકથા તરીકે પન્નાલાલ પટેલ રચિત 'માનવીની ભવાઈ' શિરમોર ગણાય છે.

છેવાડાના ગામડાની વાત છે. એક પછી એક પડતા કારમા દુષ્કાળ વચ્ચે જીવાતી જિંદગીનો માહોલ છે. કાળુ, રાજુ, ભલી, માલી ડોશી જેવા ગ્રામિણ છતાં પોતીકા લાગે તેવા પાત્રો છે અને તેમની વચ્ચે સર્જાતા હૈયુ વલોવી નાંખતા પ્રસંગો છે. આ નવલકથાએ ગુજરાતી વાચકોની બબ્બે પેઢીની આંખો ભીની કરી છે અને જ્યાં સુધી, જ્યાં પણ ગુજરાતી વંચાતું રહેશે ત્યાં સુધી આ નવલકથા વાંચવી અનિવાર્ય ગણાશે.

લોકબોલીની અનેરી છાંટ અને તળપદા રીતિરિવાજ કે પરંપરાનો અદ્ભૂત સમન્વય, પહેરવેશથી માંડીને ખોરાક સહિતના ઉલ્લેખોમાં જળવાતું સુરેખપણું અને પાત્રોની બહુરંગી વિવિધતા થકી આ કથા દરેક પેઢીના, દરેક વયના વાચકને પોતે નજરે જોયેલી ઘટનાઓના ચિત્રણ સમી લાગે છે.

🌀ઝેર તો પીધાં છે જાણી જાણી
કાઠિયાવાડના નાનકડાં ગામમાંથી આરંભ પામતી આ કથા બીજા વિશ્વયુદ્ધની પશ્ચાદભૂમાં યુરોપના સીમાડાઓને આંબે છે. રોહીણી અને સત્યકામ જેવા બે મુખ્યપાત્રના આંતરસંબંધને આલેખતી આ સુદીર્ઘ નવલકથાનો એક છેડો માનવીય સંવેદનાને અડે છે તો બીજો છેડો જાગતિક પરિવર્તનને સ્પર્શે છે. ગોપાળબાપાની વાડીના સુંદરતમ વર્ણનો સાથે શરૃ થતી આ નવલકથા સ્વાતંત્ર્ય સંગ્રામના વિચારમાં વહેતી પૂર્વ ભારત સુધી પહોંચે છે. બીજા ભાગમાં સત્યકામ વિશ્વયુદ્ધની અંધાધુંધી વચ્ચે અટવાયેલા યુરોપમાં પોતાનું સત્ય પામવા મથે છે, અને ત્રીજા ભાગમાં બર્માના મોરચે યુદ્ધની બિભિષિકા વચ્ચે પનપતા માનવીય સંબંધોમાં પરોવાઈને વાર્તા અંતે આરંભબિંદુએ આવીને અટકે છે.

ગ્રામ્ય માહોલમાં ઉછરેલા રોહિણી અને સત્યકામના વૈચારિક વિકાસનો આલેખ આ મહાનવલના ત્રણ ભાગમાં વિશદ્ રીતે રજૂ થયો છે. બંને વચ્ચે એકમેક પ્રત્યે ઊંડી લાગણી છે, પરંતુ રોહિણી હેમંતને પરણી છે અને સત્યકામ એ આઘાત પચાવીને નીજ સત્ય શોધવા સમગ્ર વિશ્વ ભમતો રહે છે. વિવિધ અનુભવો, બહુવિધ સમાજધારા અને વિચારધારાનો સંસ્પર્શ પામીને આંતર સમૃદ્ધ થઈ તે પોતાના મૂળ તરફ પાછો ફરે છે. 'દર્શક'ની ધીરગંભીર શૈલી, ઘટનાઓ ઉપસાવવાની કાબેલિયત અને પોતીકા બનતાં જતાં પાત્રો થકી આ મહાનવલ વાચકના ચિત્ત પર દીર્ઘકાલીન અસર છોડી જાય છે.

🌀ભારેલો અગ્નિ
સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય ભૂમિકા નિભાવનાર વિનાયક સાવરકરે ૧૮૫૭નો ઇતિહાસ લખ્યો હતો. એ પુસ્તકથી પ્રભાવિત થઈને ર.વ.દેસાઈએ 'ભારેલો અગ્નિ' નામે નવલકથા લખી. કનૈયાલાલ મુનશીની ઈતિહાસનું કથાબિંદુ ધરાવતી નવલકથાઓની અપાર લોકપ્રિયતાની સમાંતરે ર.વ.દેસાઈએ ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામની પશ્ચાદભૂમાં લખેલી 'ભારેલો અગ્નિ' પણ એટલી જ લોકપ્રિય નીવડી હતી એ તેમની યશસ્વી સિદ્ધિ ગણવી પડે.

વતનની મુક્તિ કાજે સશસ્ત્ર અને હિંસક ક્રાંતિ જગાવવાની આલબેલ વચ્ચે રૃદ્રદત્તના પાત્ર દ્વારા આ નવલકથામાં અહીંસાને જ છેવટના મુક્તિમાર્ગ તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ થયો છે. વાસ્તવિક અને કાલ્પનિક પાત્રો, ઘટનાઓના આબાદ મિશ્રણ દ્વારા રજૂ થયેલ જોશીલો ઘટનાપ્રવાહ તેમજ ચોટદાર સંવાદો થકી આ નવલકથા ધ્વંસ અને સર્જન, હિંસા અને અહિંસા વચ્ચેની ખેંચતાણને રસપ્રદ અને બોધના ભાર વિના રજૂ કરે છે.

🌀વેવિશાળ
ગઈ સદીના અદ્દલ ગુજરાતીપણાંનો આયનો ધરતી ઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા 'વેવિશાળ' એ હરહંમેશ ગુજરાતી જીવનનો દસ્તાવેજી આલેખ બની રહે એટલી સબળ કૃતિ છે. બાળપણમાં દેવાયેલા કોલ મુજબ નક્કી થયેલાં લગ્નો, ધનિક બની ગયેલા પરિવારના ગરીબ ઘરમાં થનાર વેવિશાળ, મુખ્ય પાત્રોની કશ્મકશ, ઘમંડ અને મિથ્યાભિમાન વચ્ચે સળવળતી જતી સંવેદના એ આ નવલકથાનું પ્રધાનતત્ત્વ છે.

સમાજજીવનના સારાં-નરસાં તમામ પાસાંઓના આલેખન ઉપરાંત મેઘાણીની કલમે અહીં પાત્રસૃષ્ટિ પણ બળુકી નીપજી છે. મેઘાણીની શૈલીનો ધસમસતો વેગ આ નવલકથામાં પાને-પાને વર્તાય છે. પાત્રો, ઘટનાઓની પ્રચુરતાને બદલે મેઘાણીએ અહીં માનવીય ભાવોના નિરુપણ થકી ચમત્કૃતિ સર્જી છે. બે પરિવાર વચ્ચેના સામાજિક દરજ્જાના અંતર અને તેને લીધે વેવિશાળ કરવું કે ન કરવું એ સવાલને મહત્ત્વપૂર્ણ બનાવીને મેઘાણી આ કૃતિમાં આખરે માનવીય મૂલ્યો, પરંપરા અને ખાનદાનીનું આબાદ ચિત્રણ કરે છે.

🌀પેરેલિસિસ
૧૯ ભાષાઓમાં અનુદિત થયેલી ચંદ્રકાન્ત બક્ષીની આ યશસ્વી નવલકથા તેનાં અવતરણ વખતે જમાના કરતાં આગળ હોવાનું કહેવાતું હતું. આજે પચ્ચીશ વર્ષ બાદ પણ એ નવલકથા એટલી જ પરિપક્વ અને વાચનક્ષમ હોવા ઉપરાંત જમાનાથી આગળ જ લાગે એ કથાકાર તરીકે બક્ષીની સિદ્ધિ છે.

ગુજરાતી કથાસાહિત્યમાં ઘટનાપ્રધાન નવલકથાઓને સામાજિક, ઐતિહાસિક એવા પ્રચલિત કથાનકોથી એક ડગલું આગળ લઈ જતી આ નવલકથા મનોવૈજ્ઞાાનિક દૃષ્ટિકોણ પૂરો પાડે છે. પ્રોફેસર આરામ શાહના જીવનમાં આકસ્મિક શરૃ થયેલી ઉથલપાથલ કહેતી આ કથા ભાવવિશ્વની સંકુલતાને ગજબનાક સંવાદો દ્વારા એટલી અસરકારક રીતે રજૂ કરે છે કે ઘટનાપ્રવાહની આદતથી ટેવાયેલો વાચક મનોભાવના અતિરેકને પણ આસાનીથી પચાવી જાય છે.

નવલકથા તરીકે પ્રયોગાત્મક ગણાતી 'પેરેલિસિસ' વાચકોને અભિભૂત કરી રહે છે, તો સાહિત્યના અભ્યાસુઓ, વિદ્યાર્થીઓ માટે પાઠમાળા પણ બની શકે છે. એટલે જ આ નવલકથા વિવિધ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પણ સ્થાન પામી ચૂકી છે.

🌀જડ-ચેતન
કહેવાય છે કે 'મહાભારત' ટીવીશ્રેણી જ્યારે પ્રસારિત થતી હતી એટલો વખત સમગ્ર ભારત થંભી જતું હતું. આવું જ ગુજરાત વિશે અન્ય સંદર્ભે કહી શકાય તેમ છે કે, જ્યારે તુલસી કોમામાં સરી પડી હતી ત્યારે આખું ય ગુજરાત તેનાં જલદી સાજાં થઈ જવા માટે પ્રાર્થના કરતું હતું! જી હા, એ નવલકથા એટલે 'જડ-ચેતન' અને લેખક એટલે હરકિશન મહેતા.

અરુણા શાનબાગ નામની મુંબઈની કેઈએમ હોસ્પિટલની એક નર્સ પર બળાત્કારનો પ્રયાસ થયો અને આઘાતને લીધે એ કોમામાં સરી પડી. આ સમાચારમાંથી નવલકથાનું બીજ શોધીને હરકિશન મહેતાએ તુલસીનું પાત્ર સર્જ્યું. એક ભ્રષ્ટાચારી પ્રધાનના સ્વિસ બેન્કના એકાઉન્ટ અંગે અજાણતા જ માહિતગાર થઈ ગયેલી તુલસી કોઈને જાણ કરે એ પહેલાં જ કોમામાં સરી પડે છે. તેનો બાળપણનો મિત્ર ચિંતન તેને સાજી કરવા માટે મથતો રહે છે.

જીવંત પાત્રો, લાજવાબ ઘટનાક્રમ અને જકડી રાખતી નાટયાત્મકતાને લીધે જડ-ચેતન એટલી બધી લોકપ્રિય બની હતી કે ઘરે-ઘરે તેની ચર્ચા થતી હતી અને નવા અંકનો હપ્તો વાંચી લેવા માટે લોકો બેચેન રહેતા હતા.

🌀દરિયાલાલ
૧૫૦૦ કિલોમીટર લાંબો દરિયાકાંઠો ધરાવતા ગુજરાત પાસે પોતાની કહી શકાય તેવી દરિયાઈ સાહસકથા કેટલી એવો સવાલ જો થાય તો આપણે ગુણવંતરાય આચાર્યની નવલકથાઓ કહી શકાય તેમ છે. આજથી ૮૦ વર્ષ પહેલાં એટલે કે ૧૯૩૮માં લખાયેલી 'દરિયાલાલ'નો એક-એક શબ્દ આજે પણ સાંપ્રત લાગે એ લેખક ગુણવંતરાય આચાર્યની કલમની કમાલ છે.

કેટલાંક ઐતિહાસિક પાત્રો, કેટલીક દંતકથાઓ અને કલ્પના એવા મિશ્રણમાંથી નીપજેલી આ કથા તેના વેગીલા ઘટનાપ્રવાહ, અનોખા પાત્રાંકનો અને વિશિષ્ટ માહોલના કારણે અતિ રસપ્રદ બને છે. લધાભા નામના મોટા વેપારીની પેઢી જંગબારમાં ગુલામોનો વેપાર કરે છે અને રામજીભા તેમના વિશ્વાસુ કર્મચારી છે. એકવાર અકસ્માતે ગુલામો બહુ દારુણ હાલતમાં મોતને ભેટે છે. આથી વ્યથિત થયેલા રામજીભા ગુલામોનો આ વેપાર અને સમૂળી પ્રથા જ નાબુદ કરવાના પ્રણ લે છે.

આવા કથાતંતુને લેખકે દરિયાઈ સાહસો, ચાંચિયાઓ સાથેની મુઠભેડ અને હવામાનના પલટાઓના આબાદ વર્ણનો વડે બેહદ જીવંત અને સાક્ષાત બનાવી દીધી છે. ગુજરાતી વાચકોની પ્રત્યેક પેઢી માટે આ નવલકથા જાણે આજની જ વાત હોય એટલી રોચક બની રહે છે.

🌀ઓથાર
કોઈપણ ઉંમરના સરેરાશ ગુજરાતી વાચકને તેને ગમતી પ્રિય ૧૦ ગુજરાતી નવલકથાનું લિસ્ટ બનાવવાનું કહો તો કદાચ ૯૦ ટકા વાચકોની સુચિમાં એક નામ અચૂક જડી આવશે :  ઓથાર! અશ્વિની ભટ્ટ રચિત આ નવલકથાની વિશેષતા એ છે કે તેમાં ઈતિહાસ પણ છે, રાજનીતિ પણ છે, ભૂગોળ પણ છે, મનોવિજ્ઞાાન અને માનવિય સંવેદના ય ભરચક છે અને આખી નવલકથા પોતે એક નિતાંત સુંદર કવિતા પણ છે.

૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાના ભયાનક ઓથાર તળે જીવતાં ઝુંઝાર પાત્રો નિષ્ફળતાના એ કલંકને મિટાવવા મથે છે. ફક્ત આટલો કથાતંતુ અશ્વિનીની કલમે અનેક ઝરણાંઓનો મંજુલ નિનાદ વહેતો વહેતો મહાનદને મળે એ રીતે એક દળદાર નવલકથાનું સ્વરૃપ ધારણ કરે છે. અશ્વિની ભટ્ટે સર્જેલા સેના બારનીશ, સંતોજી, સેજલ, રાજેશ્વરીદેવી, બલિરામ અને ખૈરાસિંઘ જેવા પાત્રોનો પ્રભાવ એટલો પ્રચંડ છે કે વાચક લાંબા સમય સુધી તેના કેફમાં સરી પડે છે.

ઓથારની ખરી કમાલ તેના બેનમૂન વર્ણનોમાં છે. ખાસ કરીને ભેડાઘાટ અને નર્મદાના વર્ણનથી વાચકોની પ્રત્યેક પેઢી મંત્રમુગ્ધ થતી રહી છે.

Tuesday, January 19, 2021

English is a funny language.

When you are bored just think about a few things that don't make sense ...like ;
🤔
1. If poison expires, is it more poisonous or is it no longer poisonous?
🤔
2. Which letter is silent in the word "Scent," the S or the C?
🤔
3. Do twins ever realize that one of them is unplanned?
🤔
4. Why is the letter W, in English, called double U? Shouldn't it be called double V?
🤔
5. Maybe oxygen is slowly killing you and It just takes 75-100 years to fully work.
🤔
6. Every time you clean something, you just make something else dirty.
🤔
7. The word "swims" upside-down is still "swims"
🤔
8. 100 years ago everyone owned a horse and only the rich had cars. Today everyone has cars and only the rich own horses.
🤔
9. If you replace "W" with "T" in "What, Where and When", you get the answer to each of them.
🤔
Six great confusions still unresolved 😄😂
1. At a movie theatre, which arm rest is yours?
2. If people evolve from monkeys, why are monkeys still around?
3. Why is there a 'D' in fridge,but not in refrigerator?
4. Who knew what time it was when the first clock was made?
😀😀😀
We can never find the answers, can we?
So just enjoy the pun and fun of the English language!!

Monday, January 18, 2021

एक ग़ज़ल

धूप में निकलो घटाओं में नहा कर देखो 
ज़िंदगी क्या है किताबों को हटा कर देखो 

सिर्फ़ आँखों से ही दुनिया नहीं देखी जाती 
दिल की धड़कन को भी बीनाई बना कर देखो 

पत्थरों में भी ज़बाँ होती है दिल होते हैं 
अपने घर के दर-ओ-दीवार सजा कर देखो 

वो सितारा है चमकने दो यूँही आँखों में 
क्या ज़रूरी है उसे जिस्म बना कर देखो 

फ़ासला नज़रों का धोका भी तो हो सकता है 
वो मिले या न मिले हाथ बढ़ा कर देखो 

Saturday, January 2, 2021

નાની વાર્તા

શનિવારે નાનકડો છોકરો શાળાએથી ઘેર આવ્યો અને તેણે પોતાના પિતાને કહ્યું, "મારા શિક્ષકે અમને ઘરકામમાં એક કામ સોંપ્યું છે - દસ જણને ભેટવાનું અને તેમને કહેવાનું કે 'ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું'."

તેના પિતાએ કહ્યું, "કંઈ વાંધો નહીં. હું કાલે તને મોલમાં લઈ જઈશ. ત્યાં તું આ કામ પતાવી શકીશ."

છોકરો બીજે દિવસે સવારે ઉઠી, અતિ ઉત્સાહ પૂર્વક તૈયાર થઈ ગયો અને તેના પિતાને કહેવા લાગ્યો, "ચાલો પપ્પા મોલ જઈએ!".

બહાર ખૂબ જોરથી વરસાદ પડી રહ્યો હતો એટલે પિતાએ કહ્યું, "બેટા, થોડી વાર રહી ને જઈશું? અત્યારે આટલાં વરસાદમાં મોલમાં કોઈ નહીં હોય."

પણ છોકરાએ તો જીદ જ પકડી. આથી પિતાએ તેની બાળહઠ આગળ ઝૂકી જઈ, તેને ભારે વરસાદ વચ્ચે પણ કાર હંકારી મોલમાં લઈ જવો પડ્યો.

તેમણે મોલમાં એકાદ કલાક પસાર કર્યો અને છોકરો જુદા જુદા નવ લોકોને ભેટયો. હવે તેના પિતાએ કહ્યું, "બેટા વરસાદ ઘણો વધી ગયો છે, આપણે ફસાઈ જઈએ એ પહેલાં ચાલ ઘેર પહોંચી જઈએ."

છોકરો તેનો દસ જણને ભેટવાનો લક્ષ્યાંક પૂરો ન થતાં થોડો ઉદાસ થયો પણ આખરે તેણે પિતાની વાત માની અને તેઓ ઘેર પાછા ફરવા કારમાં બેઠાં. તેઓ થોડાં જ આગળ વધ્યાં હતાં ત્યાં એક ઘર માર્ગમાં સામે જ દેખાયું તેના તરફ આંગળી ચીંધતા છોકરાએ પપ્પાને કાકલૂદી કરી કાર થંભાવવા કહ્યું અને ઉમેર્યું "પપ્પા, મને પેલાં ઘરમાં જઈ આવવા દો. મારે એક જ જણને ભેટવાનું બાકી છે. મને ચોક્કસ એ ઘરમાં કોઈક મળી જશે અને હું મારું ઘરકામ પૂરું કરી શકીશ."

પિતાએ સસ્મિત પોતાના નાનકડાં પુત્રની ઈચ્છા પૂરી કરવા કાર બાજુએ લીધી અને થોભાવી.

છોકરાએ તે ઘર પાસે જઈ દરવાજાની ઘંટડી દબાવી. થોડી વાર પછી એક મહિલાએ બારણું ખોલ્યું, જે ખૂબ ઉદાસ દેખાતી હતી. છોકરાને જોઈ તેને થોડી નવાઈ લાગી. તેણે પ્રેમથી પૂછયું, "બેટા, તને કોનું કામ છે?"

આંખોમાં ચમક અને ચહેરા પર મોટા સ્મિત સાથે એ નાનકડાં છોકરાએ કહ્યું," મારાં શિક્ષકે અમને દસ જણને ભેટવા કહ્યું છે અને તેમને એમ જણાવવા કહ્યું છે કે ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું. હું નવ જણાં ને ભેટી ચૂક્યો છું, હવે એક જ જણ ને ભેટવાનું બાકી છે. શું હું તમને ભેટી શકું છું અને મારા શિક્ષકનો સંદેશો પાઠવી શકું છું?"

તે મહિલા નાનકડાં છોકરાને ભેટી પડી અને ચોધાર આંસુએ રડવા માંડી. આ જોતાં છોકરાના પિતા ત્યાં પાસે આવી ગયાં અને તેમણે મહિલાને પૂછયું કે શું તેમને કોઈ સમસ્યા છે?

મહિલાએ પોતાની જાતને સંભાળી લીધી. પિતા પુત્રને ઘરની અંદર આવવા આમંત્રણ આપ્યું. તેમને ચા પાઈ અને પછી કહ્યું, "મારા પતિનું થોડાં સમય પહેલાં મૃત્યુ થયું છે અને એ પછી હું સાવ એકલી પડી ગઈ છું. આજે તો હદ થઈ ગઈ. સવારથી મને થતું હતું કે બસ હવે મારે પણ મારા જીવનનો અંત આણી દેવો જોઈએ. થોડી વાર પહેલાં મેં ખુરશી લીધી તેના પર ચડી હું પંખે લટકી મારો જાન આપવા જ તૈયારીમાં હતી ત્યાં દરવાજે ઘંટડી વાગી. મને આશ્ચર્ય થયું કે મને મળવા તો કોઈ આવતું નથી તો પછી અત્યારે બારણે કોણ આવ્યું હશે? મેં કુતૂહલવશ દરવાજો ખોલ્યો અને ત્યાં આ દેવદૂત આવીને મને કહે છે 'ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું.' મને ખાતરી છે કે ચોક્કસ ઈશ્વરે પોતે મને આ સંદેશો તમારા પુત્ર દ્વારા મોકલ્યો છે. મારી મરવાની ઈચ્છા અને ઉદાસી ગાયબ થઈ ગયાં અને હવે મને જીવવા એક નવું બળ મળ્યું છે. "

યાદ રાખો : હંમેશા હકારાત્મક વિચારો લોકો સાથે વહેંચો. લોકોની પડખે ઉભા રહો. કંઈ બીજું ન કરી શકો તો માત્ર તેમને સાંભળો. કદાચ તમે કોઈકનું જીવન બચાવવાનું એક માધ્યમ બની શકશો.

Sunday, December 13, 2020

બાકી છે....

આ ઊંમર તો આવી પહોંચી
      કેટલાક કામો કરવાં બાકી છે,
આ કેશ થયા સૌ ચાંદીનાં
      મનને સોનાનું કરવું બાકી છે.

જરા મહેકી લઉં હું પૃથ્વીથી
      થોડા તારા ગણવાં બાકી છે,
આ વૃક્ષોને પાણી દઈ દઉં,
      પેલા પંખીને ચણ બાકી છે.

ગીતો મસ્તીનાં ખૂબ ગાયાં
      થોડી પ્રાર્થનાઓ હાજી બાકી છે,
મારાં સૌને મેં ખૂબ ચાહ્યા,
      જગને ચાહવાનું બાકી છે.

બસ બહુ જાણ્યાં જીવે સહુને,
       ખુદને ઓળખવું હજુ બાકી છે,
કહે છે ખાલી હાથે જવાનું છે,
       બસ ખાલી થવાનું બાકી છે.

Friday, December 4, 2020

वेद वाणी 2-18-8

न म इन्द्रेण सख्यं वि योषदस्मभ्यमस्य दक्षिणा दुहीत।
उप ज्येष्ठे वरूथे गभस्तौ प्रायेप्राये जिगीवांसः स्याम॥ ऋग्वेद २-१८-८॥


मेरी मित्रता परमेश्वर से सदैव बनी रहे। परमेश्वर का रक्षण सदैव मुझे प्राप्त होता रहे। परमेश्वर सदैव मुझे उत्तम कर्म करने के लिए ज्ञान और प्रेरणा प्रदान करते रहें। जिससे कि मैं अपने जीवन के लक्ष्य को प्राप्त कर सकूं। (ऋग्वेद २-१८-८) 


May my friendship be with Parmatma forever. I always keep receiving the protection of Parmatma. May Parmatma always provide me the knowledge and inspiration to do noble deeds. So that I can achieve my goal of life. (Rig Veda 2-18-8)

Monday, November 2, 2020

व्हाट्सएप ग्रुप

कार से उतरकर भागते हुए हॉस्पिटल में पहुंचे नोजवान बिजनेस मैन ने पूछा..

“डॉक्टर, अब कैसी हैं माँ?“ हाँफते हुए उसने पूछा।

“अब ठीक हैं। माइनर सा स्ट्रोक था। ये बुजुर्ग लोग उन्हें सही समय पर लें आये, वरना कुछ बुरा भी हो सकता था।" 

डॉ ने पीछे बेंच पर बैठे दो बुजुर्गों की तरफ इशारा कर के जवाब दिया।

“रिसेप्शन से फॉर्म इत्यादि की फार्मैलिटी करनी है अब आपको।” डॉ ने जारी रखा।

“थैंक यू डॉ. साहेब, वो सब काम मेरी सेक्रेटरी कर रही हैं“ अब वो रिलैक्स था।

फिर वो उन बुजुर्गों की तरफ मुड़ा.. “थैंक्स अंकल, पर मैनें आप दोनों को नहीं पहचाना।“

“सही कह रहे हो बेटा, तुम नहीं पहचानोगे क्योंकि हम तुम्हारी माँ के वाट्सअप फ्रेंड हैं ।”एक ने बोला।

“क्या, वाट्सअप फ्रेंड ?” चिंता छोड़ , उसे अब, अचानक से अपनी माँ पर गुस्सा आया।

“60 + नाम का वाट्सप ग्रुप है हमारा।”
“सिक्सटी प्लस नाम के इस ग्रुप में साठ साल व इससे ज्यादा उम्र के लोग जुड़े हुए हैं। इससे जुड़े हर मेम्बर को उसमे रोज एक मेसेज भेज कर अपनी उपस्थिति दर्ज करानी अनिवार्य होती है, साथ ही अपने आस पास के बुजुर्गों को इसमें जोड़ने की भी ज़िम्मेदारी दी जाती है।”

“महीने में एक दिन हम सब किसी पार्क में मिलने का भी प्रोग्राम बनाते हैं।”

“जिस किसी दिन कोई भी मेम्बर मैसेज नहीं भेजता है तो उसी दिन उससे लिंक लोगों द्वारा, उसके घर पर, उसके हाल चाल का पता लगाया जाता है।”

आज सुबह तुम्हारी माँ का मैसेज न आने पर हम 2 लोग उनके घर पहुंच गए..।

वह गम्भीरता से सुन रहा था ।
“पर माँ ने तो कभी नहीं बताया।" उसने धीरे से कहा।

“माँ से अंतिम बार तुमने कब बात की थी बेटा? क्या तुम्हें याद है ?” एक ने पूछा।

बिज़नेस में उलझा, तीस मिनट की दूरी पर बने माँ के घर जाने का समय निकालना कितना मुश्किल बना लिया था खुद उसने।

हाँ पिछली दीपावली को ही तो मिला था वह उनसे गिफ्ट देने के नाम पर।

बुजुर्ग बोले..
“बेटा, तुम सबकी दी हुई सुख सुविधाओं के बीच, अब कोई और माँ या बाप अकेले घर मे कंकाल न बन जाएं... बस यही सोच ये ग्रुप बनाया है हमने। वरना दीवारों से बात करने की तो हम सब की आदत पड़ चुकी है।”

उसके सर पर हाथ फेर कर दोनों बुज़ुर्ग अस्पताल से बाहर की ओर निकल पड़े। नवयुवक एकटक उनको जाते हुए देखता ही रह गया।

Tuesday, October 6, 2020

सहारे, सरक जाया करते हैं...

 अपनी ख़ुशी टाँगने को, तुम कंधे क्यूँ तलाशती हो..?

    कमज़ोर हो, ये वहम क्यों पालती हो..??


ख़ुश रहो क़ि ये काजल, तुम्हारी  आँखों मे आकर सँवर जाता हैं..!

    ख़ुश रहो क़ि कालिख़ को, तुम निखार देती हों..!!


ख़ुश रहो क़ि तुम्हारा माथा, बिंदिया की ख़ुशकिस्मती हैं..!

    ख़ुश रहो क़ि तुम्हारा रोम-रोम, बेशक़ीमती हैं..!!


ख़ुश रहो क़ि तुम न होतीं, तो क्या-क्या न होता..?

    न मकानों के घर हुए होते, न आसरा होता..!!


न रसोइयों से खुशबुएँ ममता की, उड़ रही होतीं..!

     न त्योहारों पर महफिलें, सज रही होतीं..!!


ख़ुश रहो क़ि तुम बिन, कुछ नहीं हैं..!

    तुमसे ये आसमाँ, दिलक़श और ये ज़मीं हसीं हैं..!!


ख़ुश रहो क़ि रब ने तुम्हें पैदा ही, ख़ुद मुख़्तार किया..!

    फ़िर क्यों किसी और को तुमने, अपनी मुस्कानों का हक़दार किया..!!


ख़ुश रहो जान लो क़ि, तुम क्या हों..?

   चांद सूरज हरियाली, हवा हो..!!


खुशियाँ देती हो, खुशियाँ पा भी लो..!

     कभी बेबात, गुनगुना भी लों..!!


अपनी मुस्कुराहटों के फूलों को,अपने संघर्ष की मिट्टी में खिलने दो..!

    अपने पंखों की ताकत को, नया आसमान मिलने दो..!!


और हाँ मत ढूँढो कंधे..!

       क़ि सहारे, सरक जाया करते हैं..!!


😊  सभी महिलाओं को समर्पित.... 

Monday, October 5, 2020

''क़मर” और “कमर” में फ़र्क़

मेरे रश्के क़मर तू ने पहली नज़र…


कुछ बरस पहले ये गाना ख़ूब हिट हुआ और अभी भी ख़ासा पसंद किया जाता है :


“मेरे रश्के क़मर तू ने पहली नज़र जब नज़र से मिलाई मज़ा आ गया”


जब ये गाना आया तो पहले-पहले तो बहुत से लोग इसको “रक़्स-ए-कमर” मान कर चलने/समझने लगे। यहाँ “रक़्स” का मतलब है “डांस/नृत्य” और “कमर” का मतलब कमर/waist। क्योंकि कमर और डांस एक दूसरे से जुड़े हैं इसीलिए लोगों को सही भी लगने लगा। कुछ लोगों को ये “लचके कमर/कमरिया लचके” टाइप लगा !


ये ग़लतफ़हमी बुनयादी तौर पर “क़मर” और “कमर” में फ़र्क़ न करने की वजह से हुआ।


“क़मर” और ”कमर” का फ़र्क़


कमर का मतलब हम ऊपर बयान कर चुके हैं। जबकि “क़मर” का मतलब है “चाँद”। गाने में भी इसी सेंस में इस्तेमाल हुआ है। ये अरबी का लफ़्ज़ है जो कि उर्दू में भी इस्तेमाल भी होता है। इसीलिए “क़मर” लोगों का नाम भी होता है, ठीक उसी तरह से जैसे “महताब”। महताब फ़ारसी का लफ़्ज़ है। महताब का मतलब “चाँद” होता है और “आफ़ताब” का सूरज। आफ़ताब भी फ़ारसी ज़बान से उर्दू में आया है। अरबी में सूरज को “शम्स” कहते हैं ।


“रश्के-क़मर” का मतलब जानने से पहले हम एक और शब्द का मतलब जान लें तो अच्छा होगा। वो है, “रश्क”। इसका अर्थ होता है “ईर्ष्या, जलन”।


जानकारों का कहना है कि “रश्के-क़मर” दरअसल रश्क और क़मर से मिलकर बना है, जिसका मतलब है : चाँद जैसा ख़ूबसूरत, बेहद हसीन, बहुत ख़ूबसूरत या फिर ऐसा हसीन कि चाँद को भी रश्क आये (जलन हो)। जैसे कहते है : “आपको देखकर रश्क होता है”।


इस गाने में भी “रश्के-क़मर” का इस्तेमाल इसी सेंस में हुआ है।


हाँ, एक और बात। वो ये कि “रश्क” और “हसद” में फ़र्क़ होता है। बावजूद इसके कि दोनों का शाब्दिक अर्थ (literal meaning) “जलन” होता है।


“रश्क” और “हसद” का फ़र्क़


उर्दू में “ईर्ष्या, जलन” के अर्थ में दो शब्दों  का इस्तेमाल होता हैं, “रश्क” और “हसद”। दोनों का शाब्दिक अर्थ : डाह, जलन, ईर्ष्या, jealousy, envy, malice होता है ।



अलबत्ता दोनों में बारीक लेकिन बहुत अहम फ़र्क़ है। वो फ़र्क़ है दोनों अल्फ़ाज़ के इस्तेमाल का है।


अगर आसान लफ़्ज़ों में कहा जाये तो ये कह सकते हैं कि “रश्क” का इस्तेमाल positive सेंस में होता है और “हसद” का इस्तेमाल negative सेंस में होता है।


जैसे “रूही कंजाही” का ये शेर देखें :


“कि रश्क आने लगा अपनी बे-कमाली पर


कमाल ऐसे भी अहल-ए-कमाल के देखे”


यहाँ पर शायर कहना चाह रहा है कि “अहल-ए-कमाल” (enlightened/प्रबुद्ध लोगों) का कमाल देखकर अपनी बे-कमाली (अकुशलता) पर रश्क आने लगा।


वहीं “ख़लील तनवीर” का ये शेर देखिये :


“हसद की आग थी और दाग़ दाग़ सीना था


दिलों से धुल न सका वो ग़ुबार-ए-कीना था”


ज़ाहिर है यहाँ “हसद” लफ्ज़ का negative बात बताने के लिए हुआ है। “हसद की आग” वैसा ही phrase है जैसे कहते हैं “बदले की आग”। हिंदी में “हसद” का पर्यायवाची शब्द “डाह” हो सकता है।


चलते चलते : अगर मज़ाक़ करने की इजाज़त हो तो कहना चाहूंगा, आप मुझ पर “रश्क” तो कर सकते हैं लेकिन मुझसे “हसद” करना अच्छी बात नहीं ।

"क़वायद तेज़” के मायने के बहाने उर्दू भाषा के पेच-ओ-ख़म को जानने की कोशिश

अक्सर सुनने और पढ़ने में आता है : “बीपीसीएल को बेचने की कवायद तेज”, “राम मंदिर निर्माण की कवायद तेज, PM Modi करेंगे भूमि पूजन!”,”महाराष्ट्र में सरकार बनाने को लेकर कवायद तेज हो गयी है” या “कोरोना के फैलाव को देख बिस्तरों की संख्या बढ़ाने की कवायद”


जहाँ तक मुझे पता/लगता है ऊपर के वाक्यों में “क़वायद” शब्द का इस्तेमाल “प्रक्रिया” (process) के सेंस में हुआ है जबकि उर्दू में “क़वायद” का मतलब होता है : नियम या नियमावली (Rules), जो कि “क़ायदा” का बहुवचन है। ये शब्द उर्दू में अरबी से आया है। जैसे उर्दू में व्याकरण की किताब को “उर्दू का क़ायदा” कहते हैं।


वैसे क़ायदा से याद आया कि हमारे कुछ साथी अक्सर मज़ाक़ में कहते हैं कि हमारे “खोजी पत्रकारों” का ये हाल है कि अगर किसी मुसलमान के घर से “क़ायदा बग़दादी” बरामद हो जाये तो उसका संबंध “अल-क़ायदा” और “अबुबक्र अल-बगदादी” से जोड़ देंगे।


दरअसल,”क़ायदा बग़दादी/बग़दादी क़ायदा” अरबी सीखने की बुनयादी किताबों में से है। बचपन में क़ुरान पढ़ने से पहले हमने “क़ायदा बग़दादी/बग़दादी क़ायदा” ही पढ़ी थी।


वापस लौटते हैं क़वायद पर। उर्दू में “प्रक्रिया” के लिए जो शब्द है वो है “अमल”। ये भी उर्दू में अरबी से आया है।


जैसे उर्दू में लिखते हैं : “कोरोना वायरस के टेस्टों/टेस्टिंग का अमल तेज़” या “महाराष्ट्र में हुकूमत साज़ी का अमल तेज़”


कुछ लोग ये भी कह सकते हैं क्योंकि “क़वायद” का एक मतलब “परेड”/ “अभ्यास” (military drill) भी होता है इसीलिये प्रक्रिया के लिये “क़वायद” लिखना/बोलना मुनासिब है। ऐसे में सवाल ये उठता है कि “सरकार बनाने का “परेड”/ “अभ्यास” तेज” क्यों नहीं बोलते/लिखते?


“शफ़्फ़ाफ़” और “सफ़्फ़ाक” फ़र्क़


ये दो ऐसे अल्फ़ाज़ हैं, जिसके बारे में कह सकते हैं : “सावधानी हटी, दुर्घटना घटी”


वो इसलिए क्योंकि “शफ़्फ़ाफ़” और “सफ़्फ़ाक” में बहुत फ़र्क़ है और ध्यान न देने पर अर्थ का अनर्थ हो सकता है।

 शफ़्फ़ाफ़” का मतलब होता है “साफ़ सुथरा”, “निर्मल”, “पारदर्शी” या transparent, clear, clean.


आपने लोगों को “साफ़-शफ़्फ़ाफ़” बोलते सुना होगा, वो भी इसी से सेंस में है।


“अम्मार यासिर” का ये शेर देखें :


“चश्मे के पानी जैसा शफ़्फ़ाफ़ हूँ मैं


दाग़ कोई दिल में है न पेशानी पर”


ध्यान रहे यहाँ चश्मे का मतलब पहने वाला चश्मा नहीं बल्कि झरना/fountain है।


जबकि “सफ़्फ़ाक” का अर्थ होता है : निष्ठुर, अत्याचारी, cruel, tyrant.


जैसे “रज़ा मौरान्वी” का ये शेर देखें :


“ज़िंदगी अब इस क़दर सफ़्फ़ाक हो जाएगी क्या


भूख ही मज़दूर की ख़ुराक हो जाएगी क्या”


इसी तरह निष्ठुर व्यक्ति के लिए “सफ़्फ़ाक़ दिल इंसान” लफ्ज़ का इस्तेमाल करते हैं। या फिर “अत्याचार की पराकाष्ठा” के लिए “सफ़्फ़ाकियत की इंतिहा” लिखते/बोलते हैं।