Saturday, February 28, 2015

સત્ય-અસત્ય

સત્ય એ પાણીમાં પડેલા તેલ જેવું છે.
પાણી વધારે હોય કે ઓછું હોય પણ
સત્ય સપાટી ઉપર આવ્યા વગર રહેતું નથી.
સત્યને તળિયે બેસાડવું સાગર માટે પણ અશક્ય છે.
બીજી રીતે કહીએ તો સત્ય શસ્ત્રક્રિયા જેવું છે
જે થોડો સમય પીડા આપે છે પણ જીવનભર સુખી કરે છે
અને અસત્ય પેઈનકીલર દવા જેવું છે
જે થોડા સમય માટે પીડામાં રાહત તો આપશે
પણ તેનો પાવર ઉતરતા ફરી પીડા શરુ થઇ જાય છે.

આમ કાયમી શાંતિ માટે સત્યનો સહારો લેવો એજ શ્રેષ્ઠ ઉપાય છે.

No comments:

Post a Comment